રાજસ્થાનના બેરોજગાર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય આવ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:15:31

 

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનના બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સરકારનો વિરોધ કરવા આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને રાજસ્થાનથી આવેલા બેરોજગાર યુવાનોએ આંદોલન શરૂ કર્યું છે. યુવાઓએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કેટલીક માગણીઓને લઈને દાંડી યાત્રા કાઢી છે.

 

કેટલી માંગણીઓને લઈને યાત્રા કાઢી ?

  • કોમ્પ્યુટર પ્રશિક્ષકની ભરતીમાં 40%ની ફરજિયાત છૂટ આપીને તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે.
  • 2100+544 જગ્યાઓ માટે પંચાયતી રાજ JEN ભરતીની રજૂઆત.
  • ગ્રામ પંચાયત -મિત્ર ઓપરેટર એસોસિએશન સાથે સંકળાયેલા -મિત્ર ઓપરેટર ઉમેદવારોની તમામ માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં આવે.
  • ITI કોલેજોમાં જુનિયર પ્રશિક્ષકની 1500 જગ્યાઓ પર વહેલી તકે ભરતી જારી કરવી જોઈએ.
  • શિક્ષકની ભરતીમાં વિશેષ શિક્ષકોની વધુને વધુ જગ્યાઓ દૂર કરવી જોઈએ.
  • સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાઓમાં OBC EWSના નવીનતમ પ્રમાણપત્રોને માન્ય કરેલ છે અને પ્રમાણપત્રને કારણે કોઈપણ પસંદ કરેલ ઉમેદવારોને બાકાત રાખવા જોઈએ નહીં.

 

ઉપરાંત યુવાનોએ નવી ભરતીની પણ માંગ કરી છે તેમને રેડિયોગ્રાફર, લેબ ટેકનિશિયન, જુનિયર એકાઉન્ટન્ટ, એગ્રીકલ્ચર સુપરવાઈઝર, એલડીસી, આરએએસ, ઈસીજી, એસઆઈ, સીએચઓ, ઈન્ફોર્મેટિક્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામર, ડેન્ટીસ્ટ ચિકિત્સક, નર્સ ગ્રેડ 2, એએનએમ, પશુધન મદદનીશ, OT ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર APRO PRO, મદદનીશ ખેતી અધિકારી, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-4 ના કર્મચારી, કોલેજ શિક્ષણમાં પીટીઆઈ લાઈબ્રેરીયન અને પાણી પુરવઠા વિભાગમાં નવી ભરતી થવી જોઈએ. 

 



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.