સમજો કેમ Bharuch Loksabhaનો જંગ પાણીપતનું ચોથું યુદ્ધ સાબિત થશે? શા માટે BJPએ મનસુખ વસાવાને બનાવ્યા ભરૂચ લોકસભા માટે ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-03-09 12:42:58

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ માટે ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઈ શકે છે . આ બાજુ BJPએ ગુજરાતમાંથી ૧૫ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે તો બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન પણ થઈ ચૂક્યું છે . અને ભરૂચ લોકસભા પરથી INDIA ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા અને સામે BJP ના ઉમેદવાર છે મનસુખ વસાવા. ત્યારે આજે સમજીએ ભરૂચ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ કેમ મનસુખ વસાવાને પસંદ કર્યા? આ પાછળ ભાજપનું શું ગણિત રહેલું છે?  

ચૈતર વસાવાએ બનાવી દીધો ચૂંટણીનો માહોલ!

ભરૂચમાં અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા જોવા મળતું હોય છે. એકબીજા પર આડકતરી રીતે અથવા તો સીધી રીતે એકબીજા પર વાર કરવામાં આવતા હોય છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા. જ્યારથી ૨૦૨૩ના ઓક્ટોબર મહિનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર extortionનો કેસ થયો આ પછી જેલમાં ગયા પછી બહાર આવ્યા ત્યારથી જ ભરૂચ લોકસભા પર ચૈતર વસાવાએ ચૂંટણીનો માહોલ બનાવી લીધો છે.


શું છે ભરૂચ લોકસભા સીટનો ઈતિહાસ? 

ભરૂચ લોકસભાને વિસ્તારથી સમજીએ તો આ ભરૂચ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝઘડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨ની વિધાનસભામાં ડેડીયાપાડા સિવાયની તમામે તમામ બેઠક BJPના ફાળે ગઈ હતી. જયારે એક માત્ર ડેડીયાપાડા પર આમ આદમી પાર્ટી એ વિજય પતાકા  લહેરાવી દીધી હતી.મહત્વનું છે કે ભરૂચ લોકસભા પર ૪૦ ટકા અનુસૂચિત જનજાતિના લોકો છે. આ બેઠક વિશે તમને જણાવી દઈએ કે તે ઓપન સીટ છે. ૧૯૭૭ થી લઈ ૧૯૮૯ સુધી કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અહીંથી સાંસદ હતા , આ પછી BJP એ આ સીટ જીતવા ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખને ટિકિટ આપી , અને પછી  BJPએ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઓમાં નાંદોદ વિધાનસભા પરથી  આજ ચંદુભાઈ દેશમુખના દીકરી Dr દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હતી .

શું છે બીજેપીનો વોટ શેર?

જો ૧૯૯૦ના દાયકાની વાત કરીએ તો મનસુખ વસાવા છેક ૧૯૯૮ની પેટાચૂંટણીઓથી  ભરૂચ લોકસભાના સાંસદ છે . વાત કરીએ ભરૂચ લોકસભા પરના BJP પરના વોટ શેરની તો ૨૦૦૪ માં આ વોટ શેર ૪૪.૦૧ ટકા હતો આ પછી વધીને ૨૦૧૯માં ૫૫.૪૭ ટકા થઈ ગયો હતો . પંરતુ ૨૦૧૯થી મનસુખ વસાવાનો આ કાર્યકાલ ખુબજ વિવાદોમાં રહેલો છે. તેમણે બહુ જ બધી વાર પોતાની પાર્ટી BJPનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે , જેમ કે ૨૦૨૦માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. કારણ કે Ministry Of enviroment એ નર્મદા જિલ્લાના ૧૨૧ આદિવાસી ગામોને " Eco sensitive ZOne "માં નાખી દીધા હતા . જોકે આ પછી બીજા જ દિવસે તેમણે પોતાનું રાજીનામુ પાછું લઈ  લીધું હતું. 


આદિવાસી વિસ્તારમાં ઉમેદવારના ચહેરાને જોઈ થાય છે વોટ!

આ પછી તેમણે BJPમાં બહારથી આવેલા નેતાઓને લઈ આવવા પરનો વિરોધ કર્યો હતો , પાછલા સપ્ટેમ્બરમાં તો તેમણે પોતાની પાર્ટીના નેતાઓ પર ચૈતર વસાવાને બહારથી BJPમાં લઈ લેવા પર ખુલ્લો વિરોધ કર્યો હતો.  હવે BJP પાર્ટી તો ખુબ જ શિષ્ટાચાર વાળી પાર્ટી છે , તેમાં તો જે વિરોધ કરે તે પૂરું થઈ જાય તો પછી મનસુખ વસાવાને કેમ ફરી રિપીટ કરાયા છે ?તો વાત એમ છે કે આદિવાસી વિસ્તારોમાં વોટિંગ પાર્ટી જોઈને નથી થતું પણ ચેહરાઓ પર થાય છે.


પીએમ મોદી મળ્યા હતા મનસુખ વસાવાને!

બીજું કે ફેબ્રુઆરીના મધ્યમાં જયારે મધ્યપ્રદેશના જાબુંઆમાં BJPનું  National Tribal કન્વેનશન ભરાયું ત્યારે  PM મોદી વિવિધ આદિવાસી નેતાઓને મળ્યા હતા ત્યારે મનસુખભાઈનું નામ આ કન્વેનશનમાં ચર્ચામાં આવ્યું હતું . આ કન્વેનશન પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે , મનસુખ વસાવા ફરી BJPનો ચેહરો બનશે . ત્રીજું કારણ કે મનસુખ વસાવાની છબી ખુબ જ સ્વચ્છ છે , તેમના બિઝિનેસ એટલે કે વેપારી પ્રજા સાથે ખુબ સારા સંબંધો છે. આ કારણોને ધ્યાનમાં રાખી બીજેપીએ મનસુખ વસાવાને ભરૂચ બેઠક માટે રિપીટ કર્યા હોય તેવી ગણતરી છે.  

 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.