Mapના આધારે સમજો Gujaratના હવામાનને, 29 સપ્ટેમ્બર સુધી કયા જિલ્લાઓમાં થશે મેઘમહેર, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-25 09:46:02

થોડા સમય બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિરામ લેવાની શરૂઆત કરી દેશે. રાજ્યમાં સરેરાશ 100 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જગ્યાઓ પર મેઘ મહેર મેઘ કહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પહેલા વરસાદ ન પડવાને ચિંતામાં હતા ખેડૂતો ત્યારે આગોતરા વરસાદે તેમની ચિંતા વધારી છે. વરસાદ વિદાય લેતા પહેલા અનેક જિલ્લાઓમાં વધુ એક રાઉન્ડ બેટિંગ કરી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

 આજે 25મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લાઓના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જગ્યાઓ વરસી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં વરસાદની સંભાવના નહીંવત છે પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 25 સપ્ટેમ્બર માટે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે મુજબ આજે તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ નથી વરસવાનો. તે સિવાય હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 

 મંગળવારે 26મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા અંગે આગાહી કરવામાં આવી નથી. આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 તારીખે આ જગ્યાઓ પર થઈ શકે છે હળવો વરસાદ

26 સપ્ટેમ્બર માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે  કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ,જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર માટે કરાયેલી આગાહી મુજબ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે આ દિવસ દરમિયાન કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા નહીંવત છે તેવી આગાહી કરવામાં આવી છે.  

 બુધવારે 27મી તારીખે, રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ 

28 તારીખે પણ માત્ર અમુક વિસ્તારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ નહીં વરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દિવસે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોમાં પડેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવન પર સૌથી વધારે અસર પડી છે.  


 ગુરૂવારે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડાનું વાતાવરણ આજે ડ્રાય રહેવાની આગાહી છે. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

 શુક્રવારે 29મી તારીખના રોજ કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડામાં વરસાદની શક્યતા નથી. આ ઉપરાંતનાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!