Bharuch લોકસભા બેઠક પર કઈ રીતે BJPના ઉમેદવાર Mansukh Vasava જીતશે તેનું સમીકરણો સમજો! Chaitar Vasavaને મળશે માત!


  • Published By :
  • Published Date : 2024-03-22 18:35:02

ભરૂચ લોકસભા બેઠકની વાત આવે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની તેમજ ઈન્ડિયા ગઠબંધનનમાં ઉમેદવાર ચૈતર વસાવાની વાતો કરતા હોઈએ છીએ. પરંતુ આ બંનેની વાતોમાં આપણે એવા અનેક પરિબળોને ભૂલી જતા હોઈએ છીએ જે ઘણા મહત્વના હોય છે. થોડા સમય પહેલા છોટુ વસાવાએ અલગ પક્ષ બનાવવાની જાહેરાત કરી. પરંતુ આ પક્ષ ભાજપને ફાયદો કરાવશે કે નુકસાન આવો તેને જાણીએ...  

ભાજપ લીડથી જીતવા માટે સામ, દામ, દંડ ભેદનો કરશે ઉપયોગ 

2024 લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ હમણાંથી થઈ રહી છે. બનાસકાંઠા,ભરૂચ, વલસાડ સહિત અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ખેલ જોરદાર થવાના છે કારણ કે દરેક બેઠક પર ભાજપ અને કોંગ્રેસએ જે ઉમેદવાર ઉતાર્યા છે એ સમીકરણ ઘણા રસપ્રદ છે. ભાજપ પોતાનો 5 લાખથી વધુ લીડનો ટાર્ગેટ પૂરો કરવા સામ, દામ દંડ ભેદ જેવી પદ્ધતિનો ઉપયોગ કરશે. ત્યારે ભરૂચ લોકસભા એક એવી બેઠક છે જ્યાં ભાજપના સમીકરણો બગડી શકે છે કેમ કે છોટુ વસાવાએ નવો પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે. 


છોટુ વસાવાએ નવો પક્ષ બનાવવાની કરી જાહેરાત  

ભરૂચ લોકસભા પર ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા ચુંટણી લડવાના છે. થોડા સમય પહેલા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા ભાજપમાં આવી જવાથી ભાજપને ફાયદો થશે. પરંતુ આ બધા વચ્ચે છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના"  બનવ્યો છે. પક્ષને લઈ તેમણે નિવેદન આપ્યું છે.   


મહેશ વસાવા બાદ છોટુ વસાવા પણ ભાજપને કરાવી શકે છે ફાયદો 

ભરૂચ લોકસભાની વાત કરી તો ત્યાં આત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે  છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારે બધાને એવું હતું કે ભાજપ અહિયાં આસાનીથી જીતી જશે પણ છોટુ વસાવાએ નવા પક્ષની જાહેરાત કરી. ઈન્ડિયા ગઠબંધન થતા કોંગ્રેસના નારાજ નેતાઓ અલગ લડવાનું કહે છે આ બધા ફેક્ટર કામ કરશે અને હવે જો છોટુ વસાવ અલગ પક્ષ સાથે લડે છે તો એ ફાયદો ભાજપને થઈ શકે છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મહેશ વસાવા બાદ છોટુ વસાવા પણ ભાજપને ફાયદો કરાવશે.



ચૂંટણીમાં આદિવાસી મતદાતાઓ નિર્ણાયક થાય છે સાબિત  

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વસાવા જીત્યા હતા. ત્યારે મહેશ વસાવાની લોકપ્રિયતા ભાજપને પોતાની લીડ સુધી પહોંચાડી શકે છે કે નહીં એ જોવાનું છે.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.