Porbandar Loksabha Seatનું સમજો સમીકરણ, BJP તરફથી Manskukh Mandavia છે ઉમેદવાર, તો કોંગ્રેસે Lalit Vasoyaની કરી પસંદગી..


  • Published By :
  • Published Date : 2024-03-18 14:28:02

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આપ ઉમેદવાર ઉતારવાની છે. ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વાત કરીએ પોરબંદર લોકસભા સીટની જ્યાં ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે. જાણીએ પોરબંદર સીટના સમીકરણો વિશે...



પોરબંદર લોકસભા બેઠક પર થશે આ બે દિગ્ગજ નેતાઓની ટક્કર 

પોરબંદર લોકસભા સીટની વાત કરીએ તો આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે. સાત વિધાનસભા આ પ્રમાણે છે ગોંડલ , જેતપુર , ધોરાજી , પોરબંદર , કુતિયાણા , માણાવદર , કેશોદ. ૨૦૨૨માં પોરબંદર અને માણાવદર બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ હતી જ્યારે કુતિયાણા SPના ખાતામાં, જયારે બીજી બધી બેઠકો  BJPના ફાળામાં ગઈ હતી.  આ લોકસભા બેઠક પર છેલ્લે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ૨૦૦૯માં  જીત્યા આ પછી તેઓ ભાજપમાં જતા રહ્યા. હાલમાં BJP એ sitting MP રમેશ ધડુકની ટિકિટ કાપી મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે , સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે . હવે આ જંગ લેઉવા Vs લેઉવા  થઇ ગયો છે . 



અર્જુન મોઢવાડિયા તેમજ અરવિંદ લાડાણી જોડાઈ ગયા છે ભાજપમાં

વાત કરીએ જાતિગત સમીકરણોની તો મેર સમાજ , લેઉવા પટેલ સમાજ અને દલિત સમાજ બહુમતવાળી સીટ છે . આ વખતે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા અને માણાવદર MLA અરવિંદ લાડાણી BJPમાં જોડાઈ ગયા છે . આ તરફ મુલકોંગ્રેસી ૨૦૨૨માં BJP માંથી હારી ગયેલા માણાવદરના MLA જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોરબંદર બેઠક માટે મતદાતાઓ કોની પસંદગી કરે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.