લ્યો બોલો! દેશની બેંકોમાં જમા રૂ.35000 કરોડની રકમ છે નધણિયાત, SBI ખાતામાં સૌથી વધુ ડિપોઝિટ બિનવારસી


  • Published By :
  • Published Date : 2023-05-10 18:01:43

બેંકોમાં બિનવારસી પડેલી જંગી રકમને લઈને સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. FSDCની બેઠકમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલી રકમ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે બેંકોમાં આવી 35,000 રૂપિયાની દાવા વગરની રકમ જમા છે, જેના માટે કોઈ દાવેદાર આગળ આવ્યો નથી. દેશમાં 10.24 કરોડ લોકો એવા છે જેમના પૈસા સરકાર પાસે પડ્યા છે, તેઓ આ રકમ અંગે ભૂલી ગયા છે અને તે અંગે દાવો પણ નથી કર્યો.


નાણામંત્રીની બેઠકમાં લેવાયો આ નિર્ણય


નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની તાજેતરની બેઠકમાં નિયમનકારો(રેગ્યુલેટર્સે)એ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇન્સ્યોરન્સ વગેરેના રૂપમાં દાવો ન કરેલી રકમની પતાવટ માટે એક વિશેષ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.


કઈ બેંકના ખાતામાં કેટલી રકમ બિનવારસી


બિનવારસી રકમ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચ પર છે, SBIના ખાતામાં 8,086 કરોડની ડિપોઝીટ પડી છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક રૂ. 5,340 કરોડ, કેનેરા બેંક રૂ. 4,558 કરોડ, અને બેંક ઓફ બરોડાના ખાતામાં રૂ. 3,904 કરોડની રકમ જમા છે.


બિનવારસી રકમ કોને કહેવાય?


બેંકોમાં જમા કરાવેલી ડિપોઝીટ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે અને તેના પર કોઈ દાવો ન કરે તેવી રકમને બિનવારસી કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે બેંકના ખાતાધારકનું મોત થઈ ગયું હોય કે પછી તેઓ વિદેશમાં સ્થાયી થયેલા લોકોની રકમના કોઈ દાવેદાર હોતા નથી. કેટલાક કેસમાં નોમિની કે કાયદેસરનો કોઈ વારસદાર ન હોવાથી પણ બેંકો પણ સાચા દાવેદારને શોધી શકતી નથી. આ કારણે અંતે દેશની તમામ બેંકોના ખાતામાં જમા 35 હજાર કરોડ રૂપિયા જેટલી રકમને આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંકો દ્વારા રિઝર્વ બેંક (RBI)ને સુપ્રત કરવામાં આવી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!