ઉનાના BJPના MLA કે સી રાઠોડનું વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-11 17:51:12

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે તો પાર્ટીમાં જોડાવા માટે રીતસર ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ વિપક્ષન કાર્યકરો અને નેતાઓને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ આ મુદ્દે એક નિવેદન આપ્યું છે.  ઉનાના ભાજપના ધારાસભ્ય કે. સી. રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. કેસી રાઠોડનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયું છે. 


 કે સી રાઠોડે શું કહ્યું?


ઉનાના ભાજપના ધારાસભ્ય કે સી રાઠોડનું એક નિવેદન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વિપક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓને ઉદ્દેશીને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે "સત્તા વગરના હવાતિયાં મારતા લોકો આવી ભાજપમાં જોડાઈ જાઓ. ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. જો કે ધારાસભ્ય કે સી રાઠોડે પોતાના વક્તવ્યમાં ભરતીમેળાને લઇ મોટી ચોખવટ કરી હતી. ભાજપમાં ભરતી મેળો ચાલું છે પણ એક શરત છે કે હોદ્દા સાથે નહીં કાર્યક્રર બનીને આવવું હોઈ તો હું વેલકમ કરું છું. પ્રજાના કામ કરવા હોઈ તો કાર્યકર બનીને આવો."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.