ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો, UNFPAના રિપોર્ટમાં કરાયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-04-19 15:25:21

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. 'ધ સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન 2023'(UNFPA)ના રિપોર્ટ મુજબ ભારતની વસ્તી 142.86 કરોડ થઈ ગઈ છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. આ રીતે હવે ભારતમાં હવે ચીન કરતાં 20 લાખ વધુ લોકો છે


દેશની વસ્તી 165 કરોડ સુધી પહોંચી શકે છે


યુનાઈટેડ નેશન્સ (UNFPA)ના નવા રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 25 ટકા લોકો  0-14 વર્ષના વય વર્ગમાં આવે છે. જ્યારે  18 ટકા 10 થી19, 26 ટકા10 થી 24, 68 ટકા 15 થી 64 વય વર્ગમાં અને 65 વર્ષથી ઉપરનીવય વર્ગમાં માત્ર 7 ટકા લોકો જ આવે છે. જ્યારે વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે ભારતની સંખ્યા છેલ્લા ત્રણ દાયકામાં વધરતી રહેશે. આ જ કારણે દેશની વસ્તી 165 કરોડ જેટલી વધી શકે છે. 


ચીનની વસ્તી છ દાયકામાં પ્રથમ વખત ઘટી


અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. આ પછી ચીનની વસ્તીમાં માત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. સરકારી ડેટા અનુસાર, ભારતની વાર્ષિક વસ્તી વૃદ્ધિ અગાઉના 10 વર્ષમાં 1.7 ટકાની સરખામણીએ 2011થી સરેરાશ 1.2 ટકા રહી છે. સંયુક્ત રાષ્ટ્રના વસ્તી ડેટા રેકોર્ડમાં આ પ્રથમ વખત છે કે 1950 પછી ભારતની વસ્તી ચીન કરતા વધુ નોંધવામાં આવી છે, હકીકતમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં બીજા વિશ્વ યુદ્ધના અંત પછી કરવામાં આવી હતી અને 1950માં સંયુક્ત રાષ્ટ્રની વસ્તી ડેટા એકત્ર કરીને આપવાનું શરૂ કર્યું.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.