"ઉમેશની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હતું, શાઇસ્તા પણ સામેલ હતી": અતીક અહેમદની કબૂલાત


  • Published By :
  • Published Date : 2023-04-14 20:05:52

ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર અતીક અહેમદ પોતાના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરથી માનસિક રીતે સંપુર્ણપણે તુટી ગયો છે. અતીકે કબૂલ કરી લીધું છે કે તેણે જ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસના રિમાન્ડ કોપી મુજબ આરોપી અતીક અહેમદે 12 એપ્રીલ 2023ના રોજ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેં ઉમેશ પાલ હત્યાનું સંપુર્ણ ષડયંત્ર બેસીને રચ્યું હતું. ગેંગસ્ટરે તે પણ કબુલ્યું કે તેના માટે તેમની પત્ની શાઈસ્તાએ મોબાઈલ અને સિમકાર્ડની વ્યવસ્થા કરી હતી.


શાઇસ્તાએ મદદ કરી હતી


અતીક અહેમદે કહ્યું, "મારી પત્ની મને જેલમાં મળવા આવતી હતી. મેં તેને સમજાવ્યું કે અન્ય વ્યક્તિના નામે બીજું  સિમ મેળવી લો. નવો મોબાઈલ લો. મારા માટે એક મોબાઈલ અને નવું સિમ કાર્ડ મોકલી દે જે. એક મોબાઈલ અને એક સિમ અશરફને પણ મોકલી આપજે." મેં શાઇસ્તાને સાબરમતી જેલમાં મોબાઇલ કયા સરકારી અધિકારી મારફત મોકલવાનો છે તેનું નામ પણ શાઇસ્તાને જણાવ્યું હતું. "મેં શાહિસ્તાને તે પણ જણાવી દીધું હતું કે અશરફને માત્ર જાણ કરી દે જે, તો તે જેલમાં જ પોતાના માણસ મારફતે મોબાઈલ અને સિમ મંગાવી લેશે"


શસ્ત્રો ખરીદવાની અને હત્યાની જવાબદારી શાઇસ્તા પર હતી


અતીક અહેમદે વધુમાં કહ્યું કે, 'રાજુ પાલના સમયમાં પોલીસકર્મીઓને છોડવામાં આવ્યા હતા. આ વખતે પહેલા પોલીસકર્મીઓને મારવામાં આવશે. આ પછી, શાઇસ્તા સાથે તમામ છોકરાઓમાં સંકલન જાળવવા, હથિયારો ગોઠવવા અને છોકરાઓને આપવા અને હત્યા કર્યા પછી, હથિયારો પાછા લેવા અને તેમને સુરક્ષિત રાખવા અને છોકરાઓને ફરાર કરાવવા અંગે ઉંડાણપૂર્વક વાતચીત થઈ હતી. મેં જ શાઇસ્તાને કહ્યું હતું કે શસ્ત્રો ક્યાંથી લાવવા અને કયા છોકરાઓને હત્યામાં સામેલ હશે. હત્યા બાદ છોકરાઓ હથિયાર ક્યાં પાછું રાખશે અને ત્યાંથી હથિયાર કાઢીને ફરીથી ક્યાં રાખશે. મેં તે જગ્યા શાઇસ્તાને પણ જણાવી હતી. અશરફને પણ એ જગ્યા વિશે ખબર હતી. હત્યા વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થશે તે પણ જણાવવામાં આવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.