ઉમા ભારતીના નિવેદનથી વધી ભાજપની ચિંતા, રાહુલ ગાંધી પર પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-31 16:55:21

ઉમા ભારતી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. હિંદુ ધર્મને લઈ તેમણે એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે ભાજપ પાસે ભગવાન રામ, હનુમાન અથવા તો હિંદુ ધર્મ પર કોઈ પેટેન્ટ નથી. કોઈ પણ તેમના પર વિશ્વાસ કરી શકે છે. તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયમાં વિશ્વાસ બીજેપીએ નક્કી નથી કર્યો, બલ્કિ આ પહેલેથી જ તેમની અંદર છે. અંતર માત્ર એટલો છે કે અમારી આસ્થા રાજનીતિક લાભથી પર છે.


ભારત જોડો યાત્રા પીઓકેમાં કરવી જોઈએ - ઉમા ભારતી  

ભાજપના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉમાભારતીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં આ યાત્રાની કોઈ જરૂરત નથી. તેમણે કહ્યું કે ભારત ટૂટ્યું ક્યારે હતું. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી છે અને આખા ભારતને જોડી દીધું છે. રાહુલ ગાંધીએ આ યાત્રા પીઓકેમાં કરવી જોઈએ. 


મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડાં સાફ થશે - ઉમા ભારતી 

રામ નામ પર થતી રાજનીતિ અંગે તેમણે નિવેદન આપ્યું કે રામનું નામ, હનુમાનનું નામ કે હિન્દુ ધર્મ પર બીજેપીની પેટન્ટ નથી. કોઈપણ વ્યક્તિ આના પર આસ્થા રાખે છે કે રાખી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે રામ, તિરંગા, ગંગા અને ગાયો પર આસ્થા બીજેપીએ નક્કી નથી કરી. કોંગ્રેસ પણ પ્રહાર કર્યા કહ્યું કે મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.    




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.