બ્રિટનના પ્રથમ હિંદુ PM ઋષિ સુનક ગુરૂવારે ઉપવાસ શા માટે રાખે છે?, સાસુ સુધા મૂર્તિ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-17 21:12:15

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હંમેશા પોતાને ગૌરવપુર્વક હિંદુ ગણાવ્યા છે. તેઓ બ્રિટનના પહેલા પીએમ છે જે હિન્દુ છે. વર્ષ 2015માં જ્યારે તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. આ પછી જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારે તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. હવે તેમના વિશે એક નવી વાત તેમના સાસુ સુધા મૂર્તિએ જાહેર કરી છે કે તેઓ દર ગુરુવારે ઉપવાસ શા માટે રાખે છે? સુધા મૂર્તિનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમના જમાઈ બ્રિટિશ પીએમ સુનકે ગુરુવારથી ઉપવાસ શરૂ કર્યા છે. સુનક સુધા મૂર્તિની પુત્રી અક્ષતાનો પતિ છે.


સુધા મૂર્તિએ શું કહ્યું?


સુધા મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેમણે સુનકના ગુરુવારના ઉપવાસનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું, મારા ઘરે દરેક કાર્યક્રમ ગુરુવારે થાય છે. ઈન્ફોસિસ પણ ગુરુવારે જ લોન્ચ કરવામાં આવી હતી. મારા જમાઈ જે પંજાબી છે, જ્યારે તેમને ખબર પડી કે અમે રાઘવેન્દ્ર સ્વામીના ભક્ત છીએ, તેમણે પણ હવે ગુરુવારના ઉપવાસ શરૂ કર્યા છે. નારાયણ મૂર્તિ પણ 11 પ્રદક્ષિણા અને 88 નમસ્કાર કર્યા પછી જ કોફી પીવે છે. આ વિડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.