તમિલનાડુના CMના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનનો બફાટ "સનાતન ધર્મ ડેન્ગ્યુ-મેલેરિયા જેવો, ખતમ કરવો જરૂરી"


  • Published By :
  • Published Date : 2023-09-03 16:53:43

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉદયનિધિ સ્ટાલિને શનિવારે કહ્યું કે સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે. તેથી જ તેનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ. ઉદયનિધિના આ સનાતન હિન્દુ ધર્મ વિરોધી નિવેદનને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને તેમના પર ચારેબાજુથી શાબ્દિક હુમલા કરવામાં આવી રહ્યા છે.


સનાતન ધર્મને સમાપ્ત કરો


ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવેલ તેમના ભાષણની એક વિડિયો ક્લિપમાં તેમણે કહ્યું, "હું આયોજકોને 'સનાતન ધર્મનો વિરોધ' કરવાને બદલે 'સનાતન ધર્મને નાબૂદ કરો' કહેવા બદલ અભિનંદન આપું છું. ઉદયનિધિએ કહ્યું કે આપણું પ્રથમ કાર્ય સનાતન ધર્મનો નાશ કરવાનું હોવું જોઈએ. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ 'સ્થાયીત્વ' સિવાય બીજું કંઈ નથી. તે બદલી શકાતું નથી. કોઈ પ્રશ્ન કરી શકે નહીં. આ જ સનાતનનો અર્થ છે."


'ભાજપનું એક દેશ, એક ધર્મ અને એક ભાષા પર જોર'


ઉદયનિધિ સ્ટાલિને વધુમાં કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર શરૂઆતથી જ એક દેશ, એક ધર્મ અને એક ભાષા પર જોર આપી રહી છે અને ડીએમકે તેનો વિરોધ કરતી રહેશે. મુંબઈમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની ત્રીજી બેઠકમાં વિશેષ સમિતિ બનાવવા અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેઓ (ભાજપના નેતાઓ) ડરી ગયા છે. નીતિવિષયક મતભેદો હોવા છતાં અમે ભાજપ સરકારને પછાડવા માટે સાથે આવ્યા છીએ. તેમણે કહ્યું કે 'I.N.D.I.A.' ગઠબંધનથી બીજેપીમાં ભય પેદા થયો છે અને આ કારણથી જ ભાજપને વિશેષ સંસદીય સત્ર બોલાવવું પડ્યું છે.


ઉદયનિધિએ કર્યો ખુલાસો  


આ મામલે સમગ્ર દેશમાં ઉગ્ર વિવાદ થતા ઉદયનિધિએ સોશિયલ મીડિયા પર તેના વિશે સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેણે સનાતન ધર્મમાં માનનારાઓના નરસંહાર વિશે વાત કરી નથી. તેમણે કહ્યું, "મેં ક્યારેય સનાતન ધર્મનું પાલન કરનારાઓના નરસંહારની અપીલ કરી નથી. સનાતન ધર્મ એ એક સિદ્ધાંત છે જે જાતિ અને ધર્મના નામે લોકોને વિભાજિત કરે છે. માનવતા અને સમાનતાને જાળવી રાખવા માટે સનાતન ધર્મને ઉખેડી નાખવો છે." તેમણે લખ્યું, "હું મારા નિવેદન પર અડગ છું. મેં આ વાતો હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સનાતન ધર્મના કારણે પીડાતા લોકોના પ્રતિનિધિ તરીકે કહી છે. હું પેરિયાર અને આંબેડકરના સનાતન ધર્મ પરના કાર્ય અને સમાજ પર તેની નકારાત્મક અસરની ટીકા કરું છું. તેમનું ઊંડું સંશોધન તમારી સામે મૂકવા તૈયાર છું."



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.