ચૂંટણી ચિહ્ન મામલે ઉદ્ધવ-શિંદે આમને સામને, ઉદ્ધવ પાસે દસ્તાવેજ રજૂ કરવા કાલે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:35:21

મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકાર મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. એકનાથ શિંદેના ગ્રુપે અંધેરીની વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા શિવસેનાના ધનુષ અને તીર પર દાવો કર્યો છે. સમગ્ર મામલે શિંદે જૂથે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. એકનાથ શિંદેએ ચૂંટણી પંચને આવેદનમાં ધનુષ અને બાણની ફાળવણીની માગ કરી છે. ત્યારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને સમગ્ર મામલે પોતાનું પક્ષ રાખવા માટે કાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને જણાવ્યું છે કે જો કાલ બપોર સુધી તમારી પાસે કોઈ જવાબ નહીં હોય તો ચૂંટણી પંચ આ મામલે ઉચીત કાર્યવાહી કરશે. 


ઉદ્ધવ ગ્રુપે પોતાના દસ્તાવેજ આપવામાં અસમર્થ

અગાઉ ચૂંટણી પંચે બંને પક્ષને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજ જમા કરાવવા માટે કહ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથે દસ્તાવેજ જમા નહોતા કરાવ્યા. ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકનાથ શિંદેની માગ છે કે પાર્ટીના ચૂંટણીના ચિહ્ન શિંદે જૂથને ફાળવવામાં આવે. અંધેરી પૂર્વ વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે નામાંકન કરવાનું છે જેથી ઉદ્ધવ ગ્રુપને ઈમેઈલ મારફતે જાણ કરવામાં આવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.