યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોદી સરકારને AAPનું મળ્યું સમર્થન, જાણો શું કહ્યું પાર્ટીના નેતા સંદીપ પાઠકે


  • Published By :
  • Published Date : 2023-06-28 16:38:09

દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ ચોમાસુ સત્રમાં બિલ લાવવાની તૈયારીઓ કરી રહી છે. જો કે વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી આને લઈ સમર્થન વ્યક્ત કર્યુ છે. આપ નેતા સંદીપ પાઠકે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાની સાથે એ સલાહ પણ આપી છે કે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પાર્ટીઓ સાથે ઉચ્ચ સ્તરે બેઠક કરી સર્વ સંમતી બનાવવી જોઈએ. 


ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ


આપ નેતા સંદીપ પાઠકે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છિએ. બંધારણની કલમ 44 પણ તેનું સમર્થન કરે છે કે દેશમાં યૂસીસી લાગુ થવી જોઈએ. જો કે આ એક એવો મુદ્દો છે કે જે તમામ ધર્મ અને સંપ્રદાય સાથે સંકળાયેલો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ મામલે ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ.  


સત્તાવાદી વલણ યોગ્ય નથી 


AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે  વધુમાં કહ્યું કે તમામ ધર્મ, સંપ્રદાય અને રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા થવી જોઈએ. કેટલાક મુદ્દા એવા હોય છે કે તેને આગામી સમયમાં પલટી શકાય નહીં. કેટલાક એવા મુદ્દા પણ હોય છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવા મુળભુત મુદ્દાઓ પર સત્તાવાદી વલણ યોગ્ય નથી, વાઈડર કન્સલ્ટેશનની જરૂર છે. તમામ લોકો સાથે ચર્ચા કરીને સર્વ સંમતી બનાવવી જોઈએ તેવું મારૂં માનવું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.