સુપ્રીમ કૉર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયામૂર્તિ યુયુ લલીત લાગુ કરશે નવી સિસ્ટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:46:29

તાજેતરમાં જ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયામૂર્તિ પદે બીરાજેલા ભારતના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતે જૂના કેસને પતાવવા માટે 1 સપ્ટેમ્બરથી નવી સિસ્ટમ ઉભી કરવાની જાહેરાત કરી દીધી છે. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવતા યુયુ લલીતે જણાવ્યું હતું કે જૂના કેસનો ઝડપથી નિકાલ કરવા માટે સુપ્રીમ કૉર્ટમાં ગુરુવારથી નવા બદલાવ કરવામાં આવશે.  તેમણે તમામ કેસને ચેંબરમાં દાખલ કરવાનો આદેશ કર્યો હતો અને સૂચન આપ્યું હતું કે જરૂર જણાશે તો કેસને યોગ્ય રીતે સૂચિબદ્ધ કરવામાં આવશે. 10 દિવસની અંદર મહત્વના કેસને વિશેષ કેસની અંદર રાખવામાં આવશે અને ઝડપથી નિકાલ કરવાની સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. 


કેવી રીતે જૂના કેસનો નિકાલ કરશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ?

શપથ ગ્રહણના પહેલા જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતે જાહેરાત કરી હતી કે તેઓ તમામ કેસને 10 દિવસની અંદર પારદર્શક ઢબે સૂચિબદ્ધ કરશે. જેના કારણે સુપ્રીમ કૉર્ટને ખબર પડશે કે કયા કેસને કઈ તારીખે લિસ્ટીંગ કરવામાં આવશે. 1 સપ્ટેમ્બર બાદ નવી સિસ્ટમને લાગુ કરવામાં આવશે અને મહત્વના કેસને પ્રધાન્યતા આપીને કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.   


કોણ છે દેશના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ?

9 સપ્ટેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા યુયુ લલીતનું પૂરું નામ છે ઉદય ઉમેશ લલીત. વકીલાતના અભ્યાસ બાદ વર્ષ 1983માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્રણ વર્ષની વકીલાત બાદ તેઓ દિલ્લી આવી ગયા હતા અને 1992માં તેમણે સુપ્રીમ કૉર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેમના ધર્મ પત્ની સ્કૂલ ચલાવે છે અને ચાર પેઢીથી તેમનો પરિવાર વકીલાત સાથે જોડાયેલો છે. 90 વર્ષના તેમના પિતા ઉમેશ રંગનાથ લલીત પણ વડી અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ છે. ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કરાનાર બંધારણીય  પીઠના પાંચ સભ્યોમાંથી યુયુ લલીત એક હતા. તેમણી જ બંધારણીય પીઠે 'ગુડ ટચ બેડ ટચ'નો મહત્વનો ચુકાદો આપ્યો હતો.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.