નોકરીમાંથી કાઢી મૂકાતા બે કારીગરોએ કરી માલિકની હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-25 17:22:32

સુરતમાં એક એવી ઘટના બની છે જેણે લોકોને હચમચાવી દીધા છે. અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં બે લોકોએ આવી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી અનુસાર આ વેદાંત ટેક્સો નામના એમ્બ્રોડરી કારખાનામાં બની છે. કારખાનામાં બે લોકો ચપ્પુ તેમજ ઘાતક હથિયારો સાથે આપી પહોંચ્યા અને કારખાનાના માલિક, પુત્ર સહિત 3 લોકોની હત્યા કરી દીધી. 


સુરતમાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરતમાં ત્રિપલ મર્ડર હત્યાની ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનાના માલિકે અમુક લોકોને નોકરીમાંથી કાઠી મૂક્યા હતા. નોકરીમાંથી નિકાળી મૂકાતા મારામારીની ઘટના સર્જાઈ છે. કારખાનામાં ઘૂસી બે લોકોએ કારખાનાના માલિક, તેમના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી. ઘાતક હથિયારો અને ચપ્પુ લઈ કારખાનામાં બે લોકો દાખલ થયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને કારણે સુરતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.     


નોકરીમાંથી કાઢી મૂકાતા કરી હત્યા 

આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હોસ્પિટલ ખાતે વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. કારખાનામાં કામ કરતા કારીગરોની પોલીસે ધરપકડ કરી છે. 


ઘટના બાદ ધારાસભ્ય હોસ્પિટલ દોડી આવ્યા 

આ ઘટનાની જાણ થતાં સુરતમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ત્રિપલ મર્ડર ઘટનાને અંજામ આપનાર બે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી તે બાદ ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.                




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.