નોકરીમાંથી કાઢી મૂકાતા બે કારીગરોએ કરી માલિકની હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-25 17:22:32

સુરતમાં એક એવી ઘટના બની છે જેણે લોકોને હચમચાવી દીધા છે. અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં બે લોકોએ આવી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. મળતી માહિતી અનુસાર આ વેદાંત ટેક્સો નામના એમ્બ્રોડરી કારખાનામાં બની છે. કારખાનામાં બે લોકો ચપ્પુ તેમજ ઘાતક હથિયારો સાથે આપી પહોંચ્યા અને કારખાનાના માલિક, પુત્ર સહિત 3 લોકોની હત્યા કરી દીધી. 


સુરતમાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરતમાં ત્રિપલ મર્ડર હત્યાની ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનાના માલિકે અમુક લોકોને નોકરીમાંથી કાઠી મૂક્યા હતા. નોકરીમાંથી નિકાળી મૂકાતા મારામારીની ઘટના સર્જાઈ છે. કારખાનામાં ઘૂસી બે લોકોએ કારખાનાના માલિક, તેમના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી. ઘાતક હથિયારો અને ચપ્પુ લઈ કારખાનામાં બે લોકો દાખલ થયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને કારણે સુરતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.     


નોકરીમાંથી કાઢી મૂકાતા કરી હત્યા 

આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હોસ્પિટલ ખાતે વીનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના નેતાઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. કારખાનામાં કામ કરતા કારીગરોની પોલીસે ધરપકડ કરી છે. 


ઘટના બાદ ધારાસભ્ય હોસ્પિટલ દોડી આવ્યા 

આ ઘટનાની જાણ થતાં સુરતમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ત્રિપલ મર્ડર ઘટનાને અંજામ આપનાર બે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી તે બાદ ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.                




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!