મંદીના એંધાણ વચ્ચે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:25:01

કોરોના કાળ દરમિયાન ઓટો મોબાઈલ સેક્ટર લગભગ ઠપ થઈ ગયુ હતું. કોરોના મહામારીને કારણે ઓટો મોબાઈલ સેક્ટરમાં ભારે મંદી જોવા મળી હતી જેથી વાહનોના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો કે હવે બે વર્ષ પછી ઓટોમોબાઈલ સેક્ટર પુનર્જીવિત થયું છે.  આજે દશેરાના દિવસે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું, આ વખતે મોટરકારના શોખિન ગ્રાહકોમાં SUV કારની ડિમાન્ડ  સૌથી વધુ જોવા મળી છે.


અમદાવાદમાં વાહનોનું વેચાણ 30થી 35 ટકા વધ્યું 


અમદાવાદ શહેરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે દશેરાના તહેવારમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. સવારથી જ ટુ વ્હિલર અને ફોર વ્હિલકના શો- રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 30થી 35 ટકા વાહન વેચાણ વધ્યું છે. શહેરમાં 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે ઈલેક્ટ્રીક વ્હીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.


દશેરાના દિવસે જ વાહનોની ખરીદી શા માટે?


ભારતમાં પ્રાચીન સમયથી જ દશેરાના તહેવારનું અનેરૂ મહાત્મ્ય રહ્યું છે. દશેરા એટલે કે વિજ્યાદશમીને શાસ્ત્રોમાં વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આવા શુભ મુહૂર્તના દિવસે જ ક્ષત્રિયો  શસ્ત્રપૂજા કરે છે. દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે જ વાહનોની પૂજા પણ કરવામાં આવે છે. 




અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પતે હવે ખાસ્સો સમય થવા આવ્યો છે. પરંતુ હજી સુધી બીજેપી તેના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ઘોષિત ના કરી શકી . આ બીજેપી અધ્યક્ષની રેસમાં નીતિન ગડકરી , શિવરાજસિંહ ચૌહાણ , મનોહરલાલ ખટ્ટર તથા અન્ય નામો છે. તો હવે જોઈએ બીજેપી કોની પર પસંદગીનો કળશ ઢાળે છે .

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી સમગ્ર વિશ્વના શેરબજારો ખુબ જ ડાઉન ગયા છે. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનની તો કેનેડા અને ચાઈના પછી યુરોપ અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. લંડન અને ઇઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

૨૧મી સદીમાં નવું ખનીજ તેલ એટલે , ડેટા . આ ડેટા થકી જ કોઈ પણ દેશ કે કંપની તેનું અસ્તિત્વ ટકાવી શકે છે. હવે એ જાણીએ કે કઈ રીતે આપણે આપણી ચેટ્સને સુરક્ષિત કરી શકીએ . તો તેની માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ સોશ્યિલ મીડિયા એપ્સનો જ ઉપયોગ કરવા જોઈએ . સાથે જ આપણે આપણા મોબાઈલમાં સોફ્ટવેર અપડેટેડ રાખવું જોઈએ .