મંદીના એંધાણ વચ્ચે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:25:01

કોરોના કાળ દરમિયાન ઓટો મોબાઈલ સેક્ટર લગભગ ઠપ થઈ ગયુ હતું. કોરોના મહામારીને કારણે ઓટો મોબાઈલ સેક્ટરમાં ભારે મંદી જોવા મળી હતી જેથી વાહનોના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો કે હવે બે વર્ષ પછી ઓટોમોબાઈલ સેક્ટર પુનર્જીવિત થયું છે.  આજે દશેરાના દિવસે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું, આ વખતે મોટરકારના શોખિન ગ્રાહકોમાં SUV કારની ડિમાન્ડ  સૌથી વધુ જોવા મળી છે.


અમદાવાદમાં વાહનોનું વેચાણ 30થી 35 ટકા વધ્યું 


અમદાવાદ શહેરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે દશેરાના તહેવારમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. સવારથી જ ટુ વ્હિલર અને ફોર વ્હિલકના શો- રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 30થી 35 ટકા વાહન વેચાણ વધ્યું છે. શહેરમાં 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે ઈલેક્ટ્રીક વ્હીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.


દશેરાના દિવસે જ વાહનોની ખરીદી શા માટે?


ભારતમાં પ્રાચીન સમયથી જ દશેરાના તહેવારનું અનેરૂ મહાત્મ્ય રહ્યું છે. દશેરા એટલે કે વિજ્યાદશમીને શાસ્ત્રોમાં વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આવા શુભ મુહૂર્તના દિવસે જ ક્ષત્રિયો  શસ્ત્રપૂજા કરે છે. દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે જ વાહનોની પૂજા પણ કરવામાં આવે છે. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.