જાપાનના એરપોર્ટ પર ફરી અથડાયા બે વિમાન, 289 પેસેન્જરોનો થયો આબાદ બચાવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 19:34:53

જાપાનમાં ફરી એક વખત બે વિમાન એકબીજા સાથે ટકરાયા છે. આ ટક્કર કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના વિમાનો વચ્ચે થઈ છે. જાપાની મીડિયાએ કહ્યું કે કોઈ પણ વિમાનમાં કોઈ પેસેન્જર ઘાયલ થયા હોવાના સમાચાર નથી. આ અકસ્માત જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર થયો હતો. એરલાઈન્સના એક અધિકારીઓ જણાવ્યું કે કોરિયન એરની ઉડાનમાં 289 પેસેન્જર અને ક્રૂ મેમ્બર સવાર હતા. 


હોક્કાઈડોના એરપોર્ટ થયો અકસ્માત


કોરિયન એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના બે વિમાનોની પાંખો ઉત્તરના ટાપુ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર એકબીજા સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ એરપોર્ટના રનવે પર જામેલો બરફ હોવાનું માનવામાં આવે છે. જાપાની મીડિયાના રિપોર્ટમાં કેથે પેસેફિક વિમાનમાં પેસેન્જરો હતો કે નહીં તે અંગે પરસ્પર વિરોધી જાણકારી સામે આવી રહી છે. કેથે પેસેફિક એરવેઝે દુર્ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. 


કઈ રીતે સર્જાયો અકસ્માત?


કોરિયન એરવેઝના અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ટોઈંગ કાર ટેક ઓફથી પહેલા કોરિયન એરના વિમાનને પાછળની તરફ ધકેલી રહી હતી. આ દરમિયાન તે જમીન પર બરફના કારણે ફસડાઈ ગઈ, તેથી વિમાનની પાંખો કેથે પેસેફિક વિમાનના જમણી બાજુની પાંખો સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ વિમાનને તાત્કાલિક તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. 




ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?