Gujaratમાં Heart Attackને કારણે એક જ દિવસમાં બે લોકોએ ગુમાવ્યો જીવ, એક ફરજ દરમિયાન તો બીજો વ્યક્તિ રસ્તા પર ઢળી પડ્યો...


  • Published By :
  • Published Date : 2023-10-09 11:06:58

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે વર્તમાનમાં રહેવું જોઈએ. આજની ક્ષણને માણવી જોઈએ કારણ કે જીવનનો કોઈ ભરસો નથી રહ્યો. કોણ ક્યારે, ક્યાં અને કેવી રીતે મોતને ભેટે છે તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ યુવાનો મુખ્યત્વે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક સમાચાર વલસાડથી સામે આવ્યા છે અને બીજા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે. 

હાર્ટ એટેક પહેલા કેટલું હોય છે બ્લડ પ્રેશર? જાણો બંને વચ્ચે શું છે કનેક્શન!  - Time News

કોરોના તો ગયો, પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થઈ રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આપણામાંથી અનેક લોકોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા હશે. કોરોના તો જતો રહ્યો પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના બનેલા કિસ્સાઓએ ચિંતા વધારી છે. રાજકોટમાંથી અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગણતરીના કલાકોમાં જ અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. 


એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલેથી ચિંતાનો વિષય તો હતો જ પરંતુ આજે બે લોકોના મોતથી ચિંતા ફરી વધી ગઈ છે. વલસાડમાં કંડક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. ચાલુ બસમાં કંડક્ટરની તબિયત બગડી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. બીજી ઘટના બનાસકાંઠામાં બની છે. 30 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. નોકરી માટે યુવાન નીકળ્યો, રસ્તા પર અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સુરતથી એક ઘટના સામે આવી હતી જેમાં યુવક  ગરબા રમી રહ્યો હતો અને અચાનક મોતને ભેટ્યો તે ઉપરાંત જામનગરથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે.  


ખેલૈયાઓ- ગરબા આયોજકો માટે AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ 

મહત્વનું છે કે થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રીમાં ગરબા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. અલગ  અલગ સ્ટેપ પણ તૈયાર કરી દીધા છે પરંતુ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ગરબા આયોજકોની તેમજ ખેલૈયાઓની ચિંતા વઘારી છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમને રાખશે. ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ માટે એએમએએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.