Gujaratમાં Heart Attackને કારણે એક જ દિવસમાં બે લોકોએ ગુમાવ્યો જીવ, એક ફરજ દરમિયાન તો બીજો વ્યક્તિ રસ્તા પર ઢળી પડ્યો...


  • Published By :
  • Published Date : 2023-10-09 11:06:58

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે વર્તમાનમાં રહેવું જોઈએ. આજની ક્ષણને માણવી જોઈએ કારણ કે જીવનનો કોઈ ભરસો નથી રહ્યો. કોણ ક્યારે, ક્યાં અને કેવી રીતે મોતને ભેટે છે તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ યુવાનો મુખ્યત્વે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક સમાચાર વલસાડથી સામે આવ્યા છે અને બીજા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે. 

હાર્ટ એટેક પહેલા કેટલું હોય છે બ્લડ પ્રેશર? જાણો બંને વચ્ચે શું છે કનેક્શન!  - Time News

કોરોના તો ગયો, પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થઈ રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આપણામાંથી અનેક લોકોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા હશે. કોરોના તો જતો રહ્યો પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના બનેલા કિસ્સાઓએ ચિંતા વધારી છે. રાજકોટમાંથી અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગણતરીના કલાકોમાં જ અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. 


એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલેથી ચિંતાનો વિષય તો હતો જ પરંતુ આજે બે લોકોના મોતથી ચિંતા ફરી વધી ગઈ છે. વલસાડમાં કંડક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. ચાલુ બસમાં કંડક્ટરની તબિયત બગડી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. બીજી ઘટના બનાસકાંઠામાં બની છે. 30 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. નોકરી માટે યુવાન નીકળ્યો, રસ્તા પર અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સુરતથી એક ઘટના સામે આવી હતી જેમાં યુવક  ગરબા રમી રહ્યો હતો અને અચાનક મોતને ભેટ્યો તે ઉપરાંત જામનગરથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે.  


ખેલૈયાઓ- ગરબા આયોજકો માટે AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ 

મહત્વનું છે કે થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રીમાં ગરબા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. અલગ  અલગ સ્ટેપ પણ તૈયાર કરી દીધા છે પરંતુ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ગરબા આયોજકોની તેમજ ખેલૈયાઓની ચિંતા વઘારી છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમને રાખશે. ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ માટે એએમએએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.  





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!