હાર્ટ એટેકને કારણે સુરતમાં થયા બે લોકોના મોત, જ્યારે છત્તીસગઢમાં પણ મામાનું મોત થતા ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:35:05

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવવાને કારણે બે લોકોના મોત થયા છે. 25 વર્ષનો યુવાન અને 43 વર્ષની મહિલાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અચાનક પરિવારજનોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. સુરત ઉપરાંત આવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. લગ્નની ઉજવણી દરમિયાન દુલ્હનના મામા ડાન્સ કરતા હતા તે વખતે જમીન પર પડી ગયા અને તેમનું મોત થઈ ગયું હતું. 


સુરતમાં હાર્ટ એટેકને કારણે થયા બે લોકોના મોત!

અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેકનો શિકાર મોટી ઉંમરના લોકો બનતા હોય છે. પરંતુ કોરોના બાદ નાની ઉંમરના લોકોના જીવ હાર્ટ એટેકને કારણે જઈ રહ્યા છે. સુરતથી બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં હાર્ટ એટેકનો ભોગ એક પુરૂષ અને એક મહિલા બન્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ગયો છે. એક ઘટનામાં ટીવી જોતા જોતા મહિલાને હાર્ટ એટેક આવ્યો જ્યારે બીજી ઘટનામાં જમીન પર બેઠેલો માણસ અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ જ્યારે ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.   


છત્તીસગઢમાં પણ ભાણીના લગ્નમાં આવેલા મામાનું થયું મોત! 

તે સિવાય હાર્ટ એટેક આવવાની ઘટના છત્તીસગઢના ડોંગરગઢમાં લગ્નની ઉજવણી દરમિયાન બની છે. લગ્નમાં દુલ્હનના મામા ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયા અને ફરી ઉભા ન થઈ શક્યા. મામાનું અચાનક મોત થવાથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેમનું મોત થયું છે તેમનું નામ દિલીપ રાઉઝકર હતું જે સ્ટીલ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજરનું કામ કરતા હતા. અચાનક ઢળી જતાં ત્યાં ઉપસ્થિત લોકોને આઘાત લાગ્યો હતો. ત્યાંના લોકોએ કહ્યું કે દિલીપભાઈ એકદમ ખુશ મિઝાઝના હતા. ઢળી પડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


વધતા હાર્ટ એટેક ચિંતાજનક!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં હસતા રમતા દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ યોગા કરતી વખતે મોતને ભેટે છે તો કોઈ રમતા રમતા હાર્ટ એટેકનો શિકાર બની છે. ત્યારે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે શરીરને વધુ લોહીની જરૂર પડે ત્યારે હૃદય ઝડપી કામ કરે છે જેને કારણે વધારે ચરબી જમા થાય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ પ્રોપર થતું નથી આનું કારણ તણાવ હોય છે. રોજે વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક છે. ત્યારે આપણે આપણા શરીરની કાળજી લેવી જોઈએ.          



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!