બીલીમોરામાં ટ્રેન નીચે આવી જતા બે લોકોના મોત, મિત્રને બચાવવા જતા બીજો યુવક પણ મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-01 22:05:34

નવસારીના બીલીમોરા નજીક એક અરેરાટીભરી ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. નૂતન વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ કરુણ ઘટનામાં ટ્રેનની એડફેટે આવતા બે યુવકોના મોત થઈ ગયા હતા. આપઘાત કરવા માટે ટ્રેક આગળ ઊભેલા યુવકને બચાવવા જતા અન્ય યુવક પણ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસે તપાસ શરૂ કરી છે.


શા માટે કર્યો આપઘાત?


દાદર-બિકાનેર ટ્રેન નંબર 12400 ડાઉન લાઇન ઉપર રવિવાર સાંજે તેજ ગતિથી પસાર થઈ રહી હતી. જે બીલીમોરા- અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચે દેવધા ગામના ભેંસલા ફળીયા ખાડી પાસેથી પસાર થતી હતી તે વેળા એક યુવાન ટ્રેન સામે આવી ગયો હતો. ટ્રેન ચાલકે દૂરથી સતત હોર્ન વગાડવા છતાં યુવાન ટ્રેડ ઉપર જ હતો. તે વેળા હોર્ન સાંભળી તેને બચાવવા અન્ય યુવકે તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેનની તીવ્ર ગતિને કારણે બંને યુવાન ઉપર ટ્રેનનાં તોતિંગ પૈડી ફરી વળ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની ઓળખવીધી કરવામાં આવી હતી. યુવકની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.



ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.