એક જ દિવસમાં Heart Attackને કારણે થયા બે લોકોના મોત, મૃતકમાં એક હતો વિદ્યાર્થી અને બીજા હતા અધિકારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 16:12:47

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો શિકર બનતા હોય છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક યુવાન વિદ્યાર્થીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં દીપ અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. 


એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે મોત

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે બાદ એક વિદ્યાર્થીનું મોત ગુરૂ પૂર્ણિમાના દિવસે હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે વધુ એક યુવાનનો ભોગ હાર્ટ એટેકનો ભોગ બન્યો છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનું મોત હૃદલ હુમલાને કારણે થયું છે. 


સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર

જે વિદ્યાર્થીનું મોત થયું છે તેનું નામ દીપ ચૌધરી છે. પોતાના મિત્રોને મળવા તે હોસ્ટેલમાં ગયો હતો તે દરમિયાન મિત્રો સાથે વાતો કરતા કરતા તે ઢળી પડ્યો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરી દીધા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં તેમજ મિત્રોમાં દુખની લાગણી પ્રસરી છે. મહત્વનું છે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને જ આવે છે, પરંતુ ધીમે ધીમે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા લાગે છે કે જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. 


રાજકોટથી પણ સામે આવ્યો હાર્ટ એટેકનો કિસ્સો

રાજકોટથી પણ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે કામ કરતા વી.વી પટેલનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તાત્કાલિક સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જે ટાઉન પ્લાનરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે તેમની બદલી થોડા સમય પહેલા જ થઈ હતી. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.