રાજકોટમાં હૃદયહુમલાને કારણે ગયા બે લોકોના જીવ! દાંડિયા રમ્યા બાદ આવ્યો એટેક! ઉલ્લાસની લાગણી ફેરવાઈ માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:45:05

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. એક કિસ્સો જે સામે આવ્યો છે તેમાં લગ્ન પ્રસંગમાં ડાંડિયા રાસ રમી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. 


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં હવે હાર્ટ એટેકને કારણે મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનો હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં કોઈ યોગા કરતા કરતા, કોઈ બેડમિન્ટન રમતા રમતા તો કોઈ નાચતા નાચતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં બે લોકોના મોત હૃદયહુમલાને કારણે થયા છે. 


હાર્ટ એટેકને કારણે ગયા બે લોકોના જીવ!

મળતી માહિતી અનુસાર રાજકોટના અમિત ચૌહાણ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગલા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં રાસ ગરબા ગવાયા હતા. રાસ રમીને જ્યારે અમિત ચૌહાણ પોતાના ઘરે આવ્યા તો તે અચાનક બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. બીજા એક વ્યક્તિએ પણ પોતાનો જીવ એટેકને કારણે ગુમાવ્યો છે.હાર્ટ એટેકના વધતા કેસ એક ચિંતાજનક વિષય બન્યો છે. તંદુરસ્ત દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.