જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે થયા મોત, ઝેરી પ્રવાહી પીધા બાદ અવસાન થયાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2022-11-29 12:22:00

થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં અંદાજીત 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે આવી જ ઘટના જૂનાગઢમાં બનવા જઈ રહી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝેરી પદાર્થ પીતા બે લોકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. 



લઠ્ઠાકાંડની ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. ત્યારે રાજકોટમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યાં છે. જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા 2 લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગાંધી ચોક વિસ્તારમાં બની હતી.  રીક્ષા સ્ટેન્ડ નજીક એક બોટલમાંથી કેટલાક લોકોએ ઝેરી પ્રવાહનું સેવન કર્યું હતું. જે બાદ તેઓ તરફડિયા મારવા લાગ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં બે રિક્ષા ચાલકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. શંકાસ્પદ રીતે મોત થતા લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. બંને લોકોની મોત કયા કારણે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.