સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત, ઇમર્જન્સી સારવારના અભાવને મુદ્દે લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-11-15 16:33:58

ગુજરાતમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, અબાલ-વૃધ્ધ અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સીલસીલો નવા વર્ષે પણ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એક જ દિવસે બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં 15થી વધુ લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. જિલ્લામાં વધી રહેલા હાર્ટ એટેકથી સ્થાનિક લોકો પણ ચિંતિંત બન્યા છે, તેમણે જિલ્લામાં આરોગ્ય સુવિધાના અભાવને લઈ તંત્ર સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.


હાર્ટ એટેકથી માહોલ ગમગીન 


સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ડેરવાળા ગામે રહેતા આધેડ નીરુભા રાણાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરતું ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યા હતા. આ જ પ્રકારે હાર્ટ એટેકની બીજી ઘટના લખતર તાલુકાના લીલાપુરમાં બની હતી. ગામની એક મહિલાને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. હ્રદય રોગના હુમલાના પગલે મોતને ભેટેલા બંને લોકોના પરિવારજનો હાલ શોકમગ્ન બન્યા છે. પરિવારજનોના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો.


લોકોમાં ભારે આક્રોશ 


સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં ઇમર્જન્સી સારવારનો અભાવ મોત પાછળ જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યું હતું. લોકોના જણાવ્યા પ્રમાણે અમુક વિસ્તારમાં રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાથી ઇમરજન્સી કેસમાં દર્દીને મોટા શહેરોમાં લઈ જવાની સ્થિતી સર્જાય છે. જે સમયસર ન મળતા અમુક કિસ્સા દર્દી મોતને ભેટે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.