રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં કરાઈ વધુ બે આરોપીની ધરપકડ, જાણો હજી સુધી કેટલા આરોપીની કરાઈ છે ધરપકડ?


  • Published By :
  • Published Date : 2023-06-29 13:38:35

શાંત પડેલો મુદ્દો એવો ડમીકાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા મહિના પહેલા યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે. એ સમયે આ મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો હતો. સામે ચાલીને પોલીસે આ મામલે તપાસ આરંભી હતી અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત ભાવનગર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજી સુધી 64 જેટલા આરોપીની થઈ છે આ મામલે ધરપકડ.   


ભાવનગર પોલીસે કરી વધુ બે આરોપીની ધરપકડ 

ડમીકાંડમાં રોજ એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગીર ગઢડા ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતા પ્રકાશ દેવશંકર લાધવા તેમજ દાહોદ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા હરદેવ વેણીશંકર લાધવા જે બંને મહુવા તાલુકાના કરમદીયા ગામના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે પ્રકાશ લાધવા એ ગ્રામ સેવકની પરીક્ષા 2017માં કીર્તિ પનોત વતી આપી હતી અને તે કીર્તિ પનોતની પહેલાજ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે  હરદેવે  2017 ની વિરમદેવની એમ.પી.એસ.ડબલ્યુ ની પરીક્ષા આપી હતી.અત્યાર સુધીમાં પોલીસે એફઆઇઆર માં નામ હોય તેવા 31 તેમજ એફઆઇઆર બાદ તપાસમાં નામ ખુલ્યા હોય તેવા 33 મળી કુલ 64 આરોપીને ઝડપી લીધા છે


કાંડમાં શું હતી તેમની સંડોવણી? 

જ્યારે મંગળવારે પણ એક આરોપી પકડાયો હતો. જામનગરમાં એમપીએસડબલ્યુની નોકરી કરતા નિકેતન જગદીશ પંડ્યા નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. નિકેતનની જગ્યાએ અગાઉ 2021માં હસમુખ નામ પ્રમાણે પરીક્ષા આપી હતી.ડમી તરીકે પરીક્ષા આપનાર હસમુખ અગાઉ ઝડપાઈ ચૂક્યો છે તેના એક દિવસ પહેલા ભાવનગર પોલીસે ડમીકાંડના 2 આરોપીની ધરપકડ કરી હતી ચોંકાવનારી વાત એ હતી કે જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમા એક મહિલા અને એક સગીર છે મહિલા 20 વર્ષની જીજ્ઞા અને એક સગીર જેની પરીક્ષા ડમી તરીકે મિલન ઘુઘા બારૈયાએ આપી હતી મિલને જીજ્ઞની પરીક્ષા વર્ષ 2022માં અને સગીરની પરીક્ષા 2020માં આપી હતી. હજુ પણ કેટલાય આરોપી એવા છે જે પોલીસ પકડથી દૂર છે 


તોડકાંડમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ   

તોડકાંડમાં પણ રોજ નવી અપડેટ આવી રહી છે તોડકાંડમાં 900 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે જે કોર્ટમાં રજૂ કરાઈ છે. અને  તોડકાંડમાં યુવરાજસિંહ તેમજ તેમના બે સાળા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે. પણ 6 આરોપીમાંથી 4 આરોપીને જામીન મળી ચુક્યા છે જ્યારે યુવરાજસિંહ તેમજ તેમના સાળા શિવુભા હજુ પણ જેલમાં છે.રાજુ , કાનભા ગોહિલ , ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીના જામીન મંજુર થઈ ગઈ છે યુવરાજ સિંહને જો નીચલી કોર્ટમાં જામીન નહીં મળે તો તે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તોડકાંડમાં તેમજ ડમીકાંડમાં શું કાર્યવાહી કરવામાં આવશે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.