પાટણમાં એક સાથે ઉઠી બે ભાઈઓની અર્થી, મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઇએ પણ ત્યજ્યો જીવ!


  • Published By :
  • Published Date : 2023-03-14 13:52:09

નાની નાની ઉંમરે લોકોના જીવ હાર્ટ એટેક આવવાને કારણે જઈ રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતી વખતે તો કોઈ યોગા કરતી વખતે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. ત્યારે પાટણમાં એક જ પરિવારના બે સભ્યોની અર્થી ઉઠી છે. હાર્ટ એટેકને કારણે મોટાભાઈ મોતને ભેટ્યા ત્યારે આ સમાચાર સાંભળી નાના ભાઈને આઘાત લાગ્યો હતો. માત્ર 30 મિનીટની અંદર જ નાના ભાઈનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું હતું. બંને ભાઈઓની અર્થી એક સાથે ઉઠી છે.


હાર્ટ એટેકને કારણે મોટા ભાઈનું મોત  

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ક્યારે મોતને ભેટી જશે તે ખબર નથી પડી રહી. લગ્નમાં જે ઘરથી દીકરીની ડોલી ઉઠવાની હોય છે ત્યાંથી દીકરીની અર્થી ઉઠે છે. કોઈ રમતા રમતા તો કોઈ યોગા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે પાટણથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પરિવારના બે સભ્યોની એક સાથે અર્થી ઉઠી છે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ કોઈ કામથી બહાર ગયા હતા અને તે બાદ બહાર ખુરશી પર બેઠા હતા. તે બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર ઢળી પડે છે. ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા. 


મોટા ભાઈ બાદ નાના ભાઈએ પણ દુનિયાને કહ્યું અલવિદા  

મોટા ભાઈના નિધનનાં સમાચાર સાંભળી નાના ભાઈ દિનેશ દુકાનથી ઘરે આવ્યા. પરિવારને સંભાળવાની કોશિશ કરી રહ્યા તે દરમિયાન તેમને ગભરામણ થવા લાગી. ગભરામણને કારણે તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને લઈ જવાયા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા. એક તરફ અરવિંદભાઈને ઘરે લાવવામાં આવ્યો તો બીજી તરફ તેમના નાના ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અરવિંદભાઈના અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે  તેમના ભાઈએ અંતિમ શ્વાસ લીધા છે. એક સાથે પરિવારમાં બે મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. બે સગા ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા માહોલ ગમગીન થઈ ગયો છે.              




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.