જમ્મુના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, અનેક લોકો થયા ઘાયલ, સુરક્ષા એજન્સી કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 13:47:13

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલા થયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુના નરવાલ વિસ્તારમાં બે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ધમાકો થવાની ઘટનાની જાણ થતા એસએસપી સહિત અન્ય એજન્સિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

  

બે ધડાકા થવાથી અનેક લોકો થયા ઈજાગ્રસ્ત  

શનિવારે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં બે બ્લાસ્ટ થયા છે. સવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં બે ધડાકા થયા છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ધમાકા ટ્રાંસપોર્ટ નગરના યાર્ડ નં. 7 અને 9 પર થયા છે. ઘટનાને પગલે તમામ વાહનોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જમ્મુ પહોંચી છે. ગણતંત્ર દિવસે રાહુલ ગાંધી જમ્મુમાં હશે જેને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.