કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટીને લીધી આડેહાથ, લખ્યું ભાજપ-આપ ભાઈ ભાઈ


  • Published By :
  • Published Date : 2022-11-15 13:52:20

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે.પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક-બીજા પર આરોપો અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ફોટો શેર કરી કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટી પણ વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે.

ભાજપ-આપ ભાઈ ભાઈ - કોંગ્રેસ

ગુજરાતમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રહે છે. આમ આદમી પાર્ટી પણ બંને પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે બંને પાર્ટી પર એક સાથે પ્રહાર કર્યા છે. ચૂંટણી પ્રચાર પાછળ થતાં ખર્ચને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે દિલ્હીની પ્રજાના કામ બાજુ પર મૂકી કેજરીવાલ પણ આપણા વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહ્યો છે. ભાજપ-આપ ભાઈ ભાઈ.

આપે પ્રજા સાથે કર્યો વિશ્વાસઘાત - કોંગ્રેસ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કે આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબમાં ખુલ્લેઆમ હત્યાકાંડ થઈ રહ્યા છે પણ પંજાબ સરકાર કઈ જ પગલા લેતી નથી શું આ લોકો ગુજરાતને સુરક્ષિત રાખશે? ઉપરાંત મફતમાં મળતી વીજળીને લઈને પણ કોંગ્રેસે આપ પર પ્રહાર કર્યા છે અને લખ્યું કે દિલ્હી પંજાબમાં 24 કલાક પાણી આપવાનો વાયદો કરી ફરી ગયા અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો.

 

ગુજરાતમાં કઈ પાર્ટી બનાવશે સરકાર?

ટ્વિટ કરેલા પોસ્ટરમાં કોંગ્રેસે લખ્યું કે ન ભાજપ ન આપ, વોટ જશે તો માત્ર કોંગ્રેસને... દરેક પાર્ટી એવું માની રહી છે ગુજરાતમાં તેમની સરકાર બનશે. ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેક પાર્ટી એવો આશાવાદ વ્યક્ત કરી રહી છે કે ગુજરાતમાં આ વખતે તેમની પાર્ટીની જીત થશે. ત્યારે ગુજરાતની જનતા કોને સત્તા પર લાવે છે તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.