ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:18:13

કન્યાકુમારથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. યાત્રા શરૂ થયાના થોડા દિવસો બાદ કોંગ્રેસે ટ્વિટર પર RSSના યુનિફોર્મ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં ખાખી હાફપેન્ટના એક ભાગને સગળતો બતાવ્યો હતો. જેના જવાબમાં આસામના સીએમએ વળતો જવાબ આપતા ટ્વિટ કરી જવાહરલાલ નહેરૂએ પહેરેલા હાફપેન્ટનો ફોટો પોસ્ટ કરી મુદ્દાને ફરી ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ હમણાંથી જ મેદાનમાં ઉતરી ગઈ છે. ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પર તેમજ તેમની આ યાત્રા પર અનેક ભાજપે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા ત્યારે ભાજપનું પીઠબળ ગણાતા RSS વિરૂદ્ધ કોંગ્રસે ટ્વિટ કરી હતી. જેમાં ખાખી હાફ પેન્ટને એક બાજૂથી સળગતું બતાવામાં આવ્યું હતું.


કોંગ્રેસના આ ટ્વિટ પર ભારે રાજનીતિ થઈ હતી, ત્યારે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તેનો જવાબ આપ્યો હતો. ટ્વિટમાં તેમણે એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં દેખાતા હતા. સાથે જ તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો?

અનેક વખત ઉઠ્યા છે રાહુલની યાત્રા પર પ્રહાર

આ અગાઉ રાહુલની ટી-શર્ટને લઈ અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ પણ ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.