આજથી ટ્વિટરનો નવો નિયમ લાગુ થયો! અનેક દિગ્ગજ હસ્તીઓના પ્રોફાઈલમાંથી હટી બ્લુ ટીક, એ લોકોને જ બ્લુ ટીક મળશે જેમણે પૈસા ભર્યા હશે!


  • Published By :
  • Published Date : 2023-04-21 09:20:01

જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કે સંભાળી છે ત્યારથી અનેક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બ્લુ સબ્સક્રિપ્શન ન લીધું હોય તેમના એકાઉન્ટ પરથી બ્લુ ટીક 20 એપ્રિલ બાદ હટાવી દેવામાં આવશે તેવી જાહેરાત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ ટ્વિટર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતની અનેક દિગ્ગજ હસ્તીઓના બ્લુ ટીકને હટાવી દેવામાં આવ્યા છે જેમાં બીગ બી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ નો સમાવેશ થાય છે. બ્લુ ટીક માટે પૈસા ભરવા પડશે તે અંગેની સ્પષ્ટતા ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી. 






અનેક જાણીતી હસ્તીઓના પ્રોફાઈલમાં હટી બ્લુ ટીક 

પહેલા એવું હતું કે જો તમારૂ એકાઉન્ટ વેરિફાઈડ હોતું હતું તો જ બ્લુ ટીક આવતું હતું પરંતુ હવેથી કોઈ પણ વ્યક્તિ માસિક ફી ચૂકવી બ્લુ ટીક ખરીદી શકે છે. હવે બ્લુ ટીક માટે જાહેર વ્યક્તિ કે સેલિબ્રિટી હોવાની જરૂર નથી માત્ર વ્યક્તિ પાસે પૈસા હોવાની જરૂર છે. ટ્વિટરે 20 તારીખે રાત્રે બાર વાગ્યે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લુ ટીક હટાવી દીધા હતા. કંપનીએ એ લોકોના બ્લુ ટીક હટાવ્યા છે જેમણે ટ્વિટર બ્લુ ટીક પ્લાન માટે પૈસા નથી ભર્યા. માસિક ફી ન ભરવાને કારણે રાહુલ ગાંધી, અરિવંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી સહિત અનેક જાણીતી હસ્તીના નામનો સમાવેશ થાય છે. 


ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા લેવાયો નિર્ણય! 

એલોન મસ્કે આ વાતને લઈ 12 એપ્રિલે ટ્વિટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે લીગેસી બ્લુ ટીક ચેકમાર્ક હટાવવામાં આવશે જેની અંતિમ તારીખ 20 એપ્રિલ હશે. જે બાદ 20 તારીખે રાત્રે 12 વાગ્યા બાદ બ્લુ ટીક હટાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે એલોન મસ્કે જ્યારથી ટ્વિરને ખરીદ્યું છે ત્યારથી એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા માટે એલોન મસ્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો બ્લુ ટીક લેવું હશે તો તમારે ફી ચૂકવવી પડશે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.