ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરાયું


  • Published By :
  • Published Date : 2022-11-04 19:37:10

ટ્વિટરના પંખીને કથિત રીતે હવામાં ઉડાવી ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ટેકઓવર કરીને અનેક બદલાવો કર્યા છે. વિશ્વની અનેક જગ્યાઓ પરથી ટ્વિટરના જૂના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે ત્યારા ભારતમાંથી પણ શરૂઆત થઈ ગઈ છે. ટ્વિટરે ભારતમાં પણ જૂના કર્મચારીઓને કાઢવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ એલન મસ્કે ગત અઠવાડિયામાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિતના અનેક મોટા અધિકારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કે હવે ટ્વિટરના કાર્યાલયને નાનું કરવાનો મોટો નિર્ણય કરી લીધો છે અને તેના પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

 

ટ્વિટર ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાનઃ કર્મચારી

ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે છણાવટ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર ઈન્ડિયાના અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાના મેઈલ મળી ચૂક્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ટ્વિટર ઈન્ડિયાને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ નજર આવી રહી છે. 

 

ટ્વિટર ઈન્ડિયાએ સમાચાર નકારી કાઢ્યા

ટ્વિટર ઈન્ડિયાએ સમગ્ર મામલે સમાચાર નકારી કાઢ્યા છે. જ્યારે અમુક મીડિયા રીપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે ટ્વિટર ઈન્ડિયાની પૂરી માર્કેટિંગ ટીમ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દીધો છે. 

 એલન મસ્કે ટ્વિટરના મોટા કર્મચારીઓને જાણકારી આપી હતી કે તેઓ ટ્વિટરમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જ્યારે અમુક ખબરોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘર ભેગા કરશે.

 

 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.