Twitter બાદ હવે Facebook પણ હજારો કર્મચારીઓની છટણી કરશે, કંપનીના શેર 73 ટકા ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-07 15:50:47

ટ્વિટર બાદ હવે અન્ય એક દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક પણ મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Facebookની પેરન્ટ કંપની Meta Platforms Inc. હજારો કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. બુધવારથી શરૂ થઈ રહી છે. કંપની વિશ્વભરમાં 12,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. META હાલમાં લગભગ 87,000 કર્મચારીઓને રોજગારી આપે છે. આ પહેલા શુક્રવારે ટ્વિટરે વિશ્વભરમાં 3700 કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. આ પછી કંપનીના કર્મચારીઓની સંખ્યા અડધી થઈ ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ઓક્ટોબરના અંતમાં ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો હતો. જે બાદ કંપનીએ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.


તીવ્ર સ્પર્ધાથી કંપનીની આવક ઘટી


મસ્ક બાદ મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ મોટાપાયે છટણીની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે કંપનીના શેરમાં 73 ટકાનો ઘટાડો થયો છે. ફેસબુક (હવે મેટા પ્લેટફોર્મ)ને ટિકટોક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મથી સખત સ્પર્ધા મળી રહી છે. આ 18 વર્ષ જૂની કંપનીમાંથી યુઝર્સ ટિકટોક અને યુટ્યુબ તરફ વળ્યા છે. જેના કારણે કંપનીની આવક પર ખરાબ અસર પડી છે. આ વર્ષે કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો છે. કંપનીએ પહેલેથી જ નવી ભરતી પર રોક લગાવી દીધી હતી અને હવે તે મોટાપાયે છટણી કરવા જઈ રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.