'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટ પણ મળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:31:11

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક આઘાતજનક સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઈન્દોર સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને વૈશાલીઠક્કરે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.


વૈશાલી ઠક્કરે લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ તથા સસુરાલ સિમરન કા સહિતની અનેક જાણીતી ટીવી સિરિયલમાં પણ તેણે અભિનય કર્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં નિવાસ કરતી હતી. તેના મોતના સમાચારથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.


મોતનું રહસ્ય અકબંધ


ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં વૈશાલીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ છે. વૈશાલી ઠક્કરે શા માટે આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે તેની લાશ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ પર આત્મહત્યાનું કારણ જાણી શકાશે. 



વૈશાલી ઠક્કર સગાઈ કરી હતી


વૈશાલી ઠક્કર ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી. તેણીએ થોડા વર્ષો પહેલા ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ હુંદલ સાથે સગાઈ કરી હતી. તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે તેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. તે લગ્ન બાદ એક્ટિંગ છોડવા માંગતી હતી. જોકે, હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.