તુર્કીમાં થયું ઘમાસાણ , રાષ્ટ્રપ્રમુખ એરદોગનની સલ્તનત ખતરામાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-22 18:18:08

સમગ્ર દુનિયામાં હાલમાં ઘણા યુદ્ધો ચાલી રહ્યા છે . જેમ કે રશિયા - યુક્રેનનું યુદ્ધ , ગાઝામાં યુદ્ધ , વગેરે . તો બીજી તરફ દુનિયાભરની વિવિધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો સામેની નારાજગી વધી રહી છે. તેનું તાજું ઉદાહરણ તુર્કી છે . તુર્કી જેનું  શહેર છે ઇસ્તમબુલ જ્યાં દેખાવકારો અને પોલીસ વચ્ચે જોરદાર ઝડપ થઈ હતી .  દેખાવકારો કેમ આટલા આક્રમકઃ બન્યા હતા કેમ કે , ઇસ્તમબુલના મેયર ઈક્રેમ ઇમામોગલુંની ધરપકડ કરવામાં આવી છે. તો આવો જાણીએ કેમ તુર્કીની સરકાર આટલા આક્રમક  દેખાવોનો સામનો કરી રહી છે. 

પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જેનું નામ છે તુર્કી . ત્યાંનું પ્રખ્યાત શહેર ઇસ્તમબુલ . આ શહેરના મેયર ઇક્રેમ ઇમામોગલું છે કે જે  તુર્કીમાં વિરોધી રાજકીય પક્ષના નેતા છે . તેમની ધરપકડ કરવામાં આવતા ઇસ્તમબુલમાં બે દિવસથી રસ્તા પર દેખાવો થઈ રહ્યા છે. જોકે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ દેખાવકારોને ખુબ કડક ચેતવણી આપી છે કે , કોઈ પણ પ્રકારના હિંસક દેખાવોને સાંખી નઈ લેવાય . જોકે હવે આ વિરોધ તુર્કીના બીજા ભાગોમાં પણ ફેલાયો છે.  જેવી જ મેયર ઇમામોગલુની બુધવારના દિવસે ધરપકડ થઈ તે પછી ઇસ્તમબુલ શહેરમાં હજારો આંદોલનકારીઓ ત્યાંની  ઐતિહાસિક જગ્યાએ ભેગા થયા હતા . જ્યાં તેમણે પોલીસના બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી . આ પછી સુરક્ષા દળોએ પીપર સ્પ્રે , ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ આ દેખાવકારોને વિખેરવા કર્યો હતો . જોકે આ પછી દેખાવકારોએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો . સામે પોલીસે તો એન્ટી રાયટ રાઇફલનો ઉપયોગ આ દેખાવકારોની સામે કર્યો હતો . હવે આવા જ દેખાવો તુર્કીના બીજા ભાગો તેની રાજધાની અંકારા અને તુર્કીના અન્ય એક શહેર ઇઝમીરમાં પણ થયા હતા . તુર્કીના બીજા શહેરોમાં પણ હજારો લોકોએ આ ધરપકડની વિરુદ્ધમાં કૂચ કરી હતી . આખા દેશમાં ૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ , ઇસ્તમબુલના મેયર ઇમામોગલુની તો , તેમના ઘરે એજન્સીઓ દ્વારા રેડ પાડવામાં આવી . આ પછી ઓથોરિટીઓએ તેમની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે સાથે જ તેમની પર આતંકવાદી સંગઠન સાથે જોડાણના પણ આરોપ લગાવ્યા છે . મેયર ઇમામોગલુની સાથે બીજા બે શહેરના મેયરની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત બીજા ઘણા વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. મેયર ઇમામોગલુ એ ૨૦૨૮માં તુર્કીમાં થનારી ચૂંટણીના રાષ્ટ્રપતિ એરદોગનના સ્પર્ધક મનાય છે. જોકે તુર્કી સરકારના સૂત્રોએ આ તમામ વાત નકારી નાખી છે.   

તો આ બાજુ તુર્કીના મુખ્ય વિરોધ પક્ષના નેતા ઓઝગુર ઓઝેલે નાગરિકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાની અપીલ કરી છે. તેમણે ઇસ્તમબુલ સિટી હોલની બહાર એક રેલીને સંબોધન કર્યું હતું . જેમાં તેમણે રાષ્ટ્રપતિ એરદોગન પર આરોપ લગાવતા કહ્યું છે કે  તેઓ ન્યાયપાલિકાનો વિરોધપક્ષની વિરુદ્ધમાં ઉપયોગ કરી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ તમામ આરોપો નકારી નાખ્યા છે . તેમણે આ દેખાવોને દેશને અસ્થિર બનાવવાની સાજીશ કહી છે . સાથે જ આવા હિંસક દેખાવો કોઈ પણ ભોગે સાંખી નઈ લેવાયની વાત કરી છે. વાત કરીએ તુર્કીની તો , રાષ્ટ્રપતિ એરદોગનના નેતૃત્વમાં તે સંપૂર્ણ ઇસ્લામિક જગતનું નેતૃત્વ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ એરદોગને ફેબ્રુઆરી ૨૦૨૫માં જમ્મુ અને કશ્મીરના મુદ્દે UN ડાયલોગની વાત કરી હતી . ત્યારે ભારત સરકારે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો . તુર્કીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) નું સભ્ય દેશ છે . વર્તમાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ NATOમાંથી બહાર નીકળી શકે છે. જો એવું થાય તો , તુર્કી NATO દેશોમાં સૌથી તાકાતવર બની જશે . હમણાં જ સીરિયામાં ડિસેમ્બર ૨૦૨૪માં , જે રીતે બશર અલ - અસદનો તખ્તો પલટાયો તેમાં પણ તુર્કીની મુખ્ય ભૂમિકા હતી . 

તો હવે જોઈએ પશ્ચિમ એશિયામાં તુર્કી ક્યા સુધી તેનો પ્રભાવ જાળવી શકે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!