તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આવ્યો વળાંક, પોલીસે કરી કો-સ્ટાર શીજાન ખાનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-25 13:22:06

શનિવાર સાંજે ટીવી ઈન્ડસ્ટ્રિની અદાકારા તુનિષા શર્માએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તુનિષા શર્મા સોની સબ પર આવતી સીરિયલ અલીબાબા-દાસ્તાન-એ-કાબુલની મુખ્ય અભિનેત્રી છે. અભિનેત્રીએ સીરિયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.  અચાનક આત્મહત્યાના સમાચાર આવતા તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. આપઘાત કયા કારણોસર કર્યું તે જાણવાની કોશિશ પોલીસ કરી રહી છે. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી લીધી છે.

  

આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસ કરશે તપાસ 

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. આત્મહત્યાના થોડા કલાકો પહેલા તુનિષા શર્માએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે જે લોકો પોતાના જુસ્સાથી આગળ વધે છે તે અટકતા નથી. તુનિષા શર્માએ કયા કારણોસર આપઘાત કર્યો તે કારણ હજી જાણી નથી શકાયું. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. પોલીસને સુસાઈટ નોટ પણ નથી મળી. પોલીસે પ્રાથમિક તપાસ કરી કો-સ્ટાર શીઝાન મોહમ્મદની ધરપકડ કરી લીધી છે. તુનિષા શર્માએ શીઝાનના મેકએપ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસે તુનિષા શર્માના કો-સ્ટાર શીઝાને આત્મહત્યા કરવા ઉશ્કેરી હતી.પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધી શીઝાનની ધરપકડ કરી છે. આ હત્યા આત્મહત્યા છે કે પછી હત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું છે.  


તુનિષા શર્માનું કરિયર   

તુનિષા શર્માએ 20 વર્ષની નાની ઉંમરે ઘણી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. શર્માએ 6થી વધુ સિરીયલમાં અભિનય કર્યો છે ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ બાર બાર દેખો, કહાણી 2, દુર્ગા રાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવનાર સમયમાં તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે મ્યુઝિક આલ્બમ પણ શૂટ કરવાની હતી.  




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.