Trump સરકારની મોટી જાહેરાત Americaની નાગરિકતા મેળવવા આપવા પડશે 44 કરોડ! , ભારતીયોને શું ફાયદો શું નુકશાન?


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 19:00:17

અમેરિકા જવા માટે લોકો તલપાપડ થતાં હોય છે અને બાદમાં કઈ કઈ રીતે એ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે એ આપણને ખબર છે પણ હવે એ બધુ કરવાની જરૂર નથી.. અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે 




44 કરોડ આપીને કાયદેસર નાગરિક બની શકાશે! 


રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવાના છે ટ્રમ્પ સરકારે 'ગોલ્ડ કાર્ડ' નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેને 5 મિલિયન ડોલર એટલે 44 કરોડ ભારતીય રૂપિયામાં ખરીદી શકાશે.. એટલે જો અમેરિકા જવું છે નાગરિક કાયદેસર બનવું છે 44 કરોડ ખર્ચો 


ગોલ્ડન કાર્ડના ફાયદા શું? 


ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ'ને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. હાલમાં, EB-5 વિઝા કાર્યક્રમ યુએસ નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો આ ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકશે. હવે આટલા પૈસા ખર્ચીને જો ત્યાં જે છે તો એનો ફાયદો શું થસે તો ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકારો આપશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ બે અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે. 



ભારતીયોને શું નુકશાન? 

આમ તો USમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ છે, પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ બેસ્ટ છે. તે 1990થી અમલમાં છે. જેના બદલે આ પ્રોગ્રામ ચાલુ થશે  'ટ્રમ્પ વિઝા પ્રોગ્રામ' એવા ભારતીયો માટે ખૂબ મોંઘો સાબિત થઈ શકે છે જેઓ અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા. હવે એ બધા પાસે ગોલ્ડન કાર્ડનો વિકલ્પ છે. 




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.