'જળ સેવા એ જ પ્રભુ સેવા' કહેવતને સાચી પાડતા રીક્ષાવાળા, આ રીક્ષા ચાલકો ગરમીમાં બૂઝાવે છે લોકોની તરસ!


  • Published By :
  • Published Date : 2023-06-01 12:28:27

પાણી માટે આપણે ત્યાં અનેક કહેવતો કહેવામાં આવી છે. જળ એ જ જીવન, જળ સેવા એજ પ્રભુ સેવા સહિતની અનેક કહેવતો છે. ઉનાળા દરમિયાન પાણીનો સોસ પડતો હોય છે. ઉનાળા દરમિયાન અનેક પરબો ખોલવામાં આવતી હોય છે. ત્યારે એવા અનેક સેવાકીય માણસો હોય છે જે માનવતાને મહેકાવતા હોય છે. એવા અનેક રીક્ષા વાળા છે રાજ્યમાં, જે ગરમીના સમય દરમિયાન લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. ગરમીમાં તરસ્યો લોકોને પાણી પીવડાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. માનવતા પર વિશ્વાસ ટકાવી રાખે છે.   


અનેક વર્ષોથી કરે છે સેવાકાર્ય!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને પાણી મળી રહે તે માટે અનેક રીક્ષાવાળાઓ એવા હોય છે જે પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને લોકોને પાણી પીવડાવે છે. ત્યારે જામનગરમાં હિરેન પાલા નામના વ્યક્તિ પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. હિરેનભાઈ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે પરંતુ તેમનું દિલ સેવાકીય કાર્યોમાં પરોવાયેલું છે. આ સેવાના કાર્યને લઈ પાણીના પ્લાન્ટવાળા વેપારી પણ તેમની પાસેથી રુપિયા નથી લેતા.      


રાજકોટમાં પણ રીક્ષાવાળા મહેકાવે છે માનવતા!

તે સિવાય રાજકોટમાં પણ એક એવા રીક્ષાવાળા છે જે નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. શૈલેષભાઈ મજેઠીયા તેમનું નામ છે. એક સમયે તેમના શરીરમાં પાણીની ઘટ થઈ હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓ લોકોને ઉનાળા દરમિયાન પીવાનું પાણી આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. કોઈ વખત પાણીની સાથે જગમાં છાશનું વિતરણ પણ કરે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.