ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના બળજબરીપૂર્વક ઘુસવાના મામલે મહારાષ્ટ્ર સરકારે આપ્યો તપાસનો આદેશ, SITની રચના કરાઈ


  • Published By :
  • Published Date : 2023-05-16 16:01:28

મહારાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક દિવસો પહેલા વિધર્મીઓએ બળજબરીપૂર્વક ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે તે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે સરકારે ખાસ તપાસ ટીમ (SIT)ની રચનાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. અને વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે.


સમગ્ર મામલો શું હતો?


મહારાષ્ટ્રના નાશિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના એક જુથે મંદિરમાં જબરદસ્તીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ વિધર્મીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના વહીવટી તંત્રએ હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક છે, અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફરાર આરોપીની શોધ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.