કેપ્ટન વિક્રમ બત્રાની જન્મ જયંતિ પર તેમના શૌર્યને વંદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 13:15:33

STORY BY SAMIR PARMAR


વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટન પદે સેવા આપતા. કારગીલ યુદ્ધના મહાન યોદ્ધા કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1947ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર ખાતે થયો હતો. 


વિક્રમ બત્રાની તાલિમ 

વિક્રમ બત્રાને બાળપણથી જ સેનામાં જોડાવાનું મન બનાવ્યું હતું અને તેમણે સંયુક્ત સંરક્ષણ સેવાની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા. આ સમય દરમિયાન તેમને હોંગકોંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી પણ મળી હતી પરંતુ તેમણે તે સેવા સ્વિકારી ના હતી. ત્યાર બાદ જુલાઈ 1996માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકાદમી દહેરાદુનમાં જોડાયા હતા. તાલિમ બાદ તેએ 6 ડિસેમ્બર 1997ના રોજ જમ્મુ કાશ્મીરના સોપાર નામના સ્થળે તેમની નિમણૂક થઈ હતી. 


વિક્રમ બત્રા અને કારગીલ યુદ્ધ

વર્ષ 1999ની કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય પોઈન્ટ 5,140 પર કબજો અને અન્ય ઘણા ઓપરેશન સાથે સંકળાયેલા હતા. તેમને વર્ષ 1999ના કારગીલ યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા માટે તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સૈન્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમના નામ પરથી શેરશાહ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ બખૂબી નિભાવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે