અમદાવાદ અકસ્માતમાં મૃત્યુ પામનાર માટે કરાયું શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન, આક્રોશના બેનરો સાથે પહોંચ્યા લોકો


  • Published By :
  • Published Date : 2023-07-24 17:07:52

અમદાવાદમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તે લોકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓ પણ મોત થયા છે. ઓવરસ્પીડિંગમાં તથ્ય પટેલ નામના નબીરાએ લોકોને અડફેટે લઈ લીધા હતા. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મૃતકોના જીવને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.  

આટલા કિલોમીટરની ઝડપે દોડી રહી હતી તથ્ય પટેલની ગાડી

અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા. આ મામલે તથ્ય પટેલ વિરૂદ્ધ પોલીસ તપાસ કરી રહી છે. ઓવરસ્પીડિંગ હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોય તેવી વાતો તો કરવામાં આવતી હતી .અમદાવાદમાં ઈસ્કોન ઓવરબ્રિજ બ્રિજ પર જેગુઆર કારથી 10 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલનો FSL રિપોર્ટ આવી ગયો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ મુજબ અકસ્માત સર્જાયો તે વખતે તથ્ય પટેલે 142 પ્રતિ કલાકની સ્પિડથી જેગુઆર કાર દોડાવી હતી. આ સ્થિતીમાં તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને 10 લોકોના મોત થયા હતા. આ પૂર્વે આરોપી તથ્ય પટેલે કબૂલાત પણ કરી હતી કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી જ નહોતી. અત્રે ઉલ્લેખનિય છે અકસ્માતની આ ઘટના બાદ પોલીસે  FSL અને RTOનો રિપોર્ટ ઉપરાંત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ માગ્યો છે. FSLનો રિપોર્ટ આવ્યા પછી કોર્ટ અને પોલીસ તરફથી શું કાર્યવાહી થશે તેના પર લોકોની નજર છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.