રાજ્યમાં ઠેર-ઠેર TRB જવાનો કરી રહ્યા છે વિરોધ, Ahmedabadમાં મોટી સંખ્યામાં એકત્ર થયા જવાન


  • Published By :
  • Published Date : 2023-11-22 16:59:26

એક તરફ લોકો રોજગાર માટે તરસી રહ્યા છે તો બીજી તરફ  હજારો ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6300 જેટલા TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો વિરોધ ટીઆરબી જવાનો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો ભેગા થયા હતા અને તેમણે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે,માગ કરી છે કે સરકાર બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચવામાં આવે. તે ઉપરાંત સુરતમાં પણ ટીઆરબી જવાનોને વિરોધ કર્યો હતો. 

અમદાવાદ ખાતે ટીઆરબી જવાનોએ કર્યો વિરોધ પ્રદર્શન 

થોડા સમય પહેલા રાજ્ય પોલીસ વડાના એક આદેશથી પોલીસ જગતમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના 9000 પૈકી 6400 ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો આદેશ આપવામાં આવતા ટીઆરબી જવાનો રોષે ભરાયા હતા. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. આ નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી જવાનોની માગ હતી. આ માગ સાથે અમદાવાદ ખાતે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 


આ સમાચાર સામે આવતા ટીઆરબી જવાનોમાં હતો ભારે રોષ  

રોજીરોટી છીનવાઈ જશે તેનો ડર ટીઆરબી જવાનોને લાગી રહ્યો છે. આ નિર્ણયને કારણે ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ આંદોલન શરૂ થઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આવેદનપત્ર પાઠવી ટીઆરબી જવાનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.