9 દિવસમાં જ બ્રિજશ મેરજાના પિતરાઈ IAS ભાઈની બદલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 20:02:56

ગુજરાત સરકારે હમણાં નવ દિવસ પહેલાં જ 23 IAS કક્ષાના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા હતા. આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે. 


રમેશ મેરજાની 9 દિવસમાં બદલી 

ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની માત્ર 9 દિવસની અંદર જ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 12 ઓક્ટોબરે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં IAS રમેશ મેરજાની પણ બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે તેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. 


IAS ડીકે પારેખ ભાવનગરના નવા કલેક્ટર

રમેશ રાજાની જગ્યા ખાલી થતાં જ IAS ડીકે પરીખને ભાવનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે. IAS ડીકે પરીખ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના એમડી પદે સેવા આપી, હવે તેઓ ભાવનગરના કલેક્ટર તરીકે સેવા આપશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.