ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી! બરગઢમાં માલગાડીના પાંચ ડબ્બા ઉતરી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-06-05 12:59:35

શુક્રવાર સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનાથી હજી લોકો બહાર નથી આવી શક્યા તો ફરી એક ટ્રેન દુર્ઘટના ઓડિશામાં ફરી સર્જાઈ છે. પથ્થરને લઈ જઈ રહેલી માલગાડીના અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી મળી રહ્યા. બારગઢ જિલ્લાના મેંધાપાલી પાસે આ ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

   

પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા!    

ઓડિશામાં આજે ફરી એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. આજે જે રેલ દુર્ઘટના સર્જાઈ છે તેમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. ઓડિશાના બારગઢમાં માલગાડીના પાંચ ડબ્બા રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જે માલગાડી સાથે દુર્ઘટના સર્જાઈ છે તે બરગઢ જિલ્લામાં સર્જાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


ફેક્ટરી પરિસરમાં સર્જાઈ દુર્ઘટના!

આ મામલે ઈસ્ટ રેલ્વે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ઓડિશાના બરગઢ જિલ્લાના મેંધાપાલી નજીક ફેક્ટરી પરિસરમાં ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે રેલવેની કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે ખાનગી સિમેન્ટ કંપનીનું નેરેગેજ સાઈડિંગ છે. તમામ માળખાકીય સુવિધાઓ કંપની દ્વારા જાળવવામાં આવી રહી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!