ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન અકસ્માત, કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાતા 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 179થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-02 22:02:48

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ઘાયલોને શોધવાની અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. કલેક્ટર, બાલાસોરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો એસઆરસીને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એમડીએ જણાવ્યું છે કે 47 ઘાયલ મુસાફરોને બાલાસોરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતને લઈને ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જારી કર્યો છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 179થી વધુ લોકો ઘાયલ થયા છે.


પેસેન્જર ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા


મીડિયા રિપોર્ટ મુજબ કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હાવડાથી ચેન્નાઈ જઈ રહી હતી. આ ટ્રેન સાંજે 6.32 કલાકે બાલેશ્વરથી નીકળી હતી. પરંતુ આજે સાંજે બાલાસોરના બહાનાગા વિસ્તારમાં કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ઓછામાં ઓછા 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના બાદ અનેક મુસાફરોને ઈજા થવાની આશંકા છે. સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અને રેલવે દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.


15 એમ્બ્યુલન્સ પહોંચી દુર્ઘટના સ્થળે


એડિશનલ DMETએ જણાવ્યું હતું કે અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને સોરો CHCમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાંક ઘાયલોને વધુ સારવાર માટે રિફર પણ કરવામાં આવી રહ્યાં છે.


કઈ રીતે સર્જાયો અકસ્માત?


બંને ટ્રેનો વચ્ચે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેકમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું છે. જે દર્શાવે છે કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. ટ્રેન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ટ્રેન એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ હતી.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!