અજાણ્યા ફોન કોલ્સથી મળશે રાહત, TRAIએ ટેલિકોમ કંપનીઓને આપ્યો 40 દિવસનો સમય


  • Published By :
  • Published Date : 2022-12-01 09:57:41

અજાણ્યા ફોન કોલ્સથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે. ટ્રાઈએ ઓનલાઈન ફ્રોડની વધતી ઘટનાઓ રોકવા માટે ટેલિકોમ કંપનીઓને 40 દિવસમાં જ સૂચનો અને વાંધાઓ રજૂ કરવાના આદેશ આપ્યો છે. 


ટેલિકોમ કંપનીઓને નોટિસ


ટ્રાઈએ કોલ કરનારા લોકોના સ્માર્ટ ફોન કે અન્ય ડિવાઈસ પર નંબર દર્શાવવાની વ્યવસ્થા લાગુ કરવા અંગે ટેલિકોમ કંપનીઓને સુચન પત્ર પાઠવ્યો છે. આ સૂચના પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર 27 ડિસેમ્બર 2022 સુધી તમામ સ્ટેકહોલ્ડર્સ અને ટેલિકોમ સેક્ટરની કંપનીઓ પાસેથી લેખિત સુચનાઓ માંગવામાં આવી છે. તે ઉપરાંત 10 જાન્યુઆરી 2023 સુધી વાંધાઓ પણ માંગવામાં આવ્યા છે. આ પત્ર ટ્રાઈની વેબસાઈટ  (www.trai.gov.in) પરથી અપલોડ કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે