Bhavnagarમાં સર્જાયા કરૂણ દ્રશ્યો જ્યારે એક સાથે ઉઠી 10 લોકોની અર્થી, મૃતકોને અંતિમ વિદાય આપવા ઉમટી જનમેદની


  • Published By :
  • Published Date : 2023-09-14 17:22:07

ગઈકાલે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. મથુરા જવા માટે ચાર દિવસ પહેલા યાત્રાળુઓએ યાત્રા શરૂ કરી હતી. યાત્રાધામ માટે નીકળેલા યાત્રાળુઓને ક્યાં ખબર હતી કે આ યાત્રા તેમની અંતિમ યાત્રા બની જશે. ગઈકાલે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ભાવનગરના તળાજાના શિહોર ગામમાં રહેતા 12 લોકોના મોત થઈ ગયા હતા. એ ભીષણ રોડ અકસ્માતમાં 12 લોકોનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

 આપને જણાવીએ કે, રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને પાછળથી ટક્કર વાગી હતી. જેમાં 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બચેલા મુસાફરોને બુધવારે દિહોર પાછા મોકલવામાં આવ્યા હતા.

એક સાથે નીકળી 10 લોકોની અંતિમ યાત્રા 

ઘટનાની જાણ થતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. એક સાથે 10 લોકોના મોતના સમાચાર સાંભળવા કોઈના માટે પણ સહેલા નથી હોતા. લોકો પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે એમ્બ્યુલન્સના માધ્યમથી તમામ લોકોના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ગુજરાત તેમના વતન લાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહનો ગામમાં લવાઈ રહ્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે આપણાં રૂંવાડા ઉભા કરી દે તેવા છે. એક સાથે જ્યારે 10 અર્થી ઉઠે ત્યારે જે દિલમાં લાગણી ઉઠે તે કદાચ શબ્દોમાં વર્ણવી શકાય તેવી હોતી નથી. 



કોણ કોના આંસુ લૂછે.....

મૃતકોને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તેમની અંતિમ યાત્રામાં અંદાજીત 10 હજાર જેટલા લોકો જોડાયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોના મોત થઈ ગયા હતા. માદરે વતન મૃતદેહોને લવાયા હતા અને ત્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. 

 આ ગોઝારો અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંત્રા ગામ પાસે થયો છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી. જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી.

કેવી રીતે સર્જાઈ હતી દુર્ઘટના?

આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો ગઈકાલે સવારે રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. જે બસમાં યાત્રીકો યાત્રા માટે નીકળ્યા હતા તે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. બસને રિપેર કરવા માટે સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી. યાત્રીકો બસ રિપેરિંગ થાય તેની રાહ રસ્તા પર સાઈડમાં ઉભા થઈને જોઈ રહ્યા હતા તે સમયે ટ્રક ત્યાં આવી અને તેમને અડફેટે લઈ લીધા હતા. આખા રસ્તા પર લાશોના ઢગલા જોવા મળ્યા હતા.રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આજે મૃતદેહોને માદરે વતન લવાયા હતા ત્યારે ગમગીન કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો.  

 આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!