ગુજરાતના અનેક શહેરોમાં સર્જાઈ દુર્ઘટના, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 10:59:30

ગુજરાતમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આલીપોર બ્રિજ ઉપર ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના મોત ઘટના સ્થળ પર થયા હતા. ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.





ગાંધીનગરમાં પણ બન્યો ગંભીર અકસ્માત 

બીજો એક અકસ્માત ગાંધીનગરના રાયસણના આંતરિક રોડ પર સર્જાયો છે. વીજ થાંભલા સાથે ગાડી ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો.  થાંભલા સાથે ગાડી અથડાતા થાંબલો ગાડી પર આવી ગયો હતો જેને કારણે ગાડી ગૂલાંટ ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે કારચાલક અને આગળ બેઠેલ અન્ય યુવાનના મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્પીડમાં ગાડી ચલાવવાની મજા સજામાં બદલાઈ છે. તે સિવાય અમદાવાદમાં ગાડીને કારણે એક વૃદ્ધાનું મોત થયું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.