મુંબઈના તોફાની દરિયામાં ન્હાવા પડેલા યુવાનો સાથે સર્જાઈ દુર્ઘટના! વાવાઝોડાનું એલર્ટ હોવા છતાં છોકરાઓ અડધો કિમી દરિયાની અંદર ગયા અને ડૂબ્યાં!


  • Published By :
  • Published Date : 2023-06-13 11:10:01

માણસની એક પ્રકૃતિ હોય છે કે જે વસ્તુ કરવાની ના પાડી હોય તે વસ્તુ પહેલા તે કરે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે મુબંઈના જુહુ બીચના દરિયાઈ વિસ્તારમાં ન્હાવા ગયેલા 6 જેટલા છોકરાઓ પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી બે જેટલા લોકોને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે જ્યારે ચાર લોકો હજી સુધી લાપતા છે. જે છોકરાઓની શોધખોળ કરવામાં આવી રહી છે તેમની ઉંમર 12થી 15 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને લઈ મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉંચા મોજા ઉછળવાને કારણે બચાવની કામગીરી કરી રહેલી ટીમને મુશ્કેલી પડી રહી છે.         



ન્હાવા માટે યુવાનોએ જોખમમાં મૂક્યો પોતાનો જીવ!

બિપોરજોયને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ વાવાઝોડાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ભલે સૌથી વધારે ગુજરાત પર થવાની છે પરંતુ મુંબઈના દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યાં છે. ઉંચા મોજા ઉછળવાને કારણે જુહુ બીચ પાસે દરિયાઈ મોજામાં પાંચથી 6 યુવાનો તણાઈ ગયા અને ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર રેસ્ક્યુની ટીમ દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા લોકો હજી પણ ગુમ છે. મળતી માહિતી અનુસાર છોકરાઓ દરિયાના અડધા કિલોમીટર અંદર ન્હાવા ગયા હતા જે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેસ્ક્યુ ટીમને પણ ઉંચા મોજા ઉછળવાને કારણે તકલીફ પડી રહી છે. 


બિપોરજોયને પગલે દરિયાકાંઠે ન જવા અપાઈ છે સૂચના!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે દરિયાકાંઠે ન જવું.પરંતુ થોડા ક્ષણની મજા માણવા અનેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. નોંધનીય છે કે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોયને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પણ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં શાંત લાગતો દરિયો અચાનક રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકોને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારે આપણી અવરચંડાઈને કારણે આપણે જ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.