પાવાગઢમાં ફરી એક વખત સર્જાઈ દુર્ઘટના! માચી ખાતે સ્થિત આશ્રય કુટિરનો ઢાંચો તૂટી પડતાં કામદારો દટાયા, સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:03:25

થોડા દિવસો પહેલા યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી. માચી ખાતે આવેલા રેન બસેરા આશ્રય કુટિરની છત થોડા દિવસો પહેલા ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું. ત્યારે ફરી એક વખત પાવાગઢ ખાતે દુર્ઘટના સર્જાઈ છે. રેન બસેરાનો અન્ય એક ભાગ ટૂટી પડ્યો છે. ચાર જેટલા કામદારો પથ્થર નીચે દબાયા છે. એક કામદારને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે ત્રણ જેટલા કામદારોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોડી સાંજે મઢૂલીને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે સમય દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. 


થોડા દિવસો પહેલા પણ સર્જાઈ હતી દુર્ઘટના! 

પાવાગઢની મુલાકાતે આવતા યાત્રાળુઓ માટે માચી ખાતે રેનબસેરાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાળુઓને આશ્રય મળી રહે તે હેતુથી આ રેન બસેરા બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી માહોલ હોવાને કારણે કુટિરમાં દસ જેટલા યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અને તે દરમિયાન કુટિરની છત અચાનક તૂટી પડી હતી. 


વિશ્રામ કુટિરનો વધુ એક ભાગ ધરાશાયી થતાં મચી ભાગદોડ!

કુટિરના ઢાંચામાંથી અચાનક વજનદાર પથ્થરો પડવા લાગ્યા. જેને કારણે આશ્રય લઈ રહેલા યાત્રાળુઓ પથ્થર નીચે દબાઈ ગયા. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ગુરૂવારે ફરી એક વખત દુર્ઘટના સર્જાઈ છે. કુટિરના ભાગને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ચાર જેટલા કામદારો દટાયા હતા. પથ્થર નીચે દબાયા હોવાને કારણે કામદારોને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર, ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચાચર ચોકમાં ભાગદોડ મચી હતી.    


કાટમાળ તૂટી પડતાં કામદારો પથ્થર નીચે દટાયા!

મહત્વનું છે કે છત તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેને પગલે વિશ્રામ કુટિરમાં કોઈ યાત્રાળુઓને બેસવાની પરવાનગી આપવામાં આવી નથી રહી. યાત્રિકો કુટિરનો ઉપયોગ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યાત્રિકો ઈજાગ્રસ્ત નથી થયા પરંતુ કાટમાળ નીચે પડતાં ચાર જેટલા કામદારો દટાયા હતા. એક કામદારને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ વખતે મોટી જાનહાની ટળી છે. પરંતુ ફરી એક વખત આવી દુર્ઘટના સર્જાતા વિશ્રામ ગૃહના નિર્માણમાં વપરાયેલા સામાનની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.     


હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હતો!

ગઈ વખતે જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે વરસાદ હતો. પરંતુ ગઈ કાલે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ના તો કોઈ વરસાદ છે કે ન વાવાઝોડું તેમ છતાં પણ હલકી ગુણવત્તા ધરાવતી કામગીરીને પગલે બે રેન બસેરા તૂટી પડવાની ઘટનાને લઈને અનેક સવાલો પેદા થવા પામ્યા છે, અને આ બે ભાગ કામગીરી દરમ્યાન તૂટ્યા હોવાનું જાહેર કરી ઇજારદારે પોતાની હલકી કક્ષાની કામગીરી ઉપર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરતા રાત્રે ઉભેલા એક ભાગને ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ એ ભાગ પણ તૂટી પડ્યો અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા છે, 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!